હળવદ નજીક નોનવેજની પાર્ટી પછી મિત્રની હત્યા કરનારા શખ્સની ધરપકડ
મોરબી-માળીયાના ખેડૂતોને સીંચાઈનું પાણી પહોચડવા ધારાસભ્ય કાંતિભાઈએ રાજસ્થાનનો ચૂંટણી પ્રવાસ રદ કર્યો
SHARE
મોરબી-માળીયાના ખેડૂતોને સીંચાઈનું પાણી પહોચડવા ધારાસભ્ય કાંતિભાઈએ રાજસ્થાનનો ચૂંટણી પ્રવાસ રદ કર્યો
મોરબી માળિયાના ધારાસભ્યએ સચિવાલયમાં મંત્રીઓ સાથે મિટિંગ કરી હતી અને મોરબી બ્રાન્ચ કેનાલ તથા માળીયા બ્રાન્ચ કેનાલમાં તાત્કાલિક અસરથી પાણી છુટે તેવા પ્રયત્નો કરવામાં આવેલ છે તેમજ બ્રાહ્મણી ડેમમા પાણી ચાલુ કરાવેલ છે અને આગામી તા ૨૪/૧૧ સુધીમા બને કેનાલમાં પુરતા પ્રમાણમાં પાણી મળી રહે એ માટે તેઓ સતત સચિવઓ તથા મંત્રીઓ સાથે સંપર્ક કરી રહ્યા છે અને ૯૦૦ કયુસેક સુધી પાણીનુ લેવલ કરાવેલ છે
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ખેડુતોની મુશ્કેલી વહેલી તકે દુર થાયએ હેતુથી પોતાનો રાજસ્થાન ચુટણી પ્રવાસને પણ રદ કરેલ છે અને મોરબી માળિયાના તમામ ખેડૂત ભાઈઓને બે દિવસ સુધીમા પાણી મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ છે અને તાત્કાલિક અસરથી પાણી છુટે અને બને કેનાલમાં પુરતા પ્રમાણમાં પાણી મળી રહે એ માટે તેઓ સચિવાલયમાં મંત્રીઓ સાથે મિટિંગ કરી રહ્યા છે જેથી કરીને ખેડૂતોને સિચાઈ માટે પૂરતા પ્રમાણમા પાણી મળશે તેવી આશા બંધાણી છે