આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ત્રણે કેનાલમાં રવી સીઝનમાં વાવેતર કરવા પાણી આપો:કે.ડી.બાવરવા


SHARE













મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ત્રણે કેનાલમાં રવી સીઝનમાં વાવેતર કરવા પાણી આપો:કે.ડી.બાવરવા

મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણ કેનાલ આવેલી છે. માળીયા બ્રાન્ચ, ધ્રાંગધ્રા બ્રાન્ચ, અને મોરબી બ્રાન્ચ.હાલમાં ખેડૂતો દ્વારા રવી પાક માટે વાવેતર કરવામા આવી રહ્યું છે.પરંતુ જીરું, ઘઉં, રાયડો વગેરે પાકને વાવવાનો સમય થઈ ગયો છે. જો સમયસર વાવેતર થાય તો ખેડૂતોને સારો પાક પાકવાની શક્યતા વધી જાય છે. અને જો મોડું વાવેતર થાય તો પાક ૫૦ ટકા થાય છે.

હાલમાં ઉપર મુજબની એક પણ બ્રાન્ચ માં ખેડૂતોને વાવેતર કરવા માટે પાણી નથી મળી રહ્યું. અને આ પ્રશ્ન લગભગ દરેક વર્ષે થાય છે.ચૂંટાયેલા આગેવાનો ફકત નાટકો કરે છે. અને આ પ્રશ્નનો કોઈ કાયમી નિકાલ થતો નથી.ખેડૂતો મોંઘા ભાવના બિયારણ, લાઈનમાં ઉભા રહીને મેળવેલું ખાતરનો ખર્ચ કરે છે.પણ પાણી ન મળવાથી લાચાર થઇ બેશી રહ્યો છે.જેથી દરેક ખેડૂતો વતી ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેશનના જનરલ સેક્રેટરી  કે.ડી.બાવરવા દ્વારા રાજયના મુખ્મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને માગણી કરેલ છે કે આ ખેડૂતો ને તાત્કાલિક પાણી આપવામાં આવે જો આવું કરવામાં નહિ આવે તો અમારે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆતો કરવાની ફરજ પડશે .તો આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવા વિનંતી છે.






Latest News