મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમા ભાઈના ઘરે જવાનું કહીને નીકળેલ પરિણીતા પ્રેમ સંબંધમાં ભાગી ગઈ હોવાનું ખુલ્યું..!


SHARE







મોરબીમા ભાઈના ઘરે જવાનું કહીને નીકળેલ પરિણીતા પ્રેમ સંબંધમાં ભાગી ગઈ હોવાનું ખુલ્યું..!

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામે ટેસા સેનેટરી નામના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ થાન તાલુકાના વીજળીયા ગામના વતની રેખાબેન બાબુભાઈ ગાંગિયા નામની ૪૧ વર્ષીય મહિલા ગુમ થઈ ગઈ હતી અને પોતે પોતાના ભાઈના ઘરે જાય છે તેમ કહીને નીકળ્યા બાદ ગુમ થયેલી મહિલા પરત ન ફરતા આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ થવા પામી હતી. દરમ્યાનમાં તપાસ અધિકારી પીઆઈ કે.એ.વાળા તેમજ હેડ કોન્સ્ટેબલ જે.એમ.જાડેજા પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુમ થયેલા રેખાબેન હાલ મળી આવ્યા છે અને તેઓને મોરબીના ખાખરેચી ગામે રહેતા મનસુખ ઉર્ફે સુનિલ સુરેશભાઈ ઉચાસ્ણા જાતે કોળી (૨૮) ની સાથે પ્રેમ સંબંધ હોય તેમને ત્યાં ચાલ્યા ગયા હતા તેમ તેણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે.

રાજકોટ ખસેડાયા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલા હનુમાન મંદિર નજીકથી આશરે પચાસેક વર્ષના અજાણ્યા પુરુષને ગંભીર હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર બાદ હાલ તેઓને રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.વાહન અકસ્માત બનાવમાં તેઓને ઈજા પહોંચી છે તેમ એ ડિવિઝન પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા પાસેથી જાણવા મળેલ છે અને તેઓ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

ટીકળા ખાઈ જતા સારવારમાં

મોરબી ખાતે રહેતા જાવેદ રસુલભાઈ જાંગીયા નામના ૨૫ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગાંધી ચોક પાસે દવાના ટીકડા ખાઈ લીધા હતા જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.






Latest News