મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમા ભાઈના ઘરે જવાનું કહીને નીકળેલ પરિણીતા પ્રેમ સંબંધમાં ભાગી ગઈ હોવાનું ખુલ્યું..!


SHARE













મોરબીમા ભાઈના ઘરે જવાનું કહીને નીકળેલ પરિણીતા પ્રેમ સંબંધમાં ભાગી ગઈ હોવાનું ખુલ્યું..!

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામે ટેસા સેનેટરી નામના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ થાન તાલુકાના વીજળીયા ગામના વતની રેખાબેન બાબુભાઈ ગાંગિયા નામની ૪૧ વર્ષીય મહિલા ગુમ થઈ ગઈ હતી અને પોતે પોતાના ભાઈના ઘરે જાય છે તેમ કહીને નીકળ્યા બાદ ગુમ થયેલી મહિલા પરત ન ફરતા આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ થવા પામી હતી. દરમ્યાનમાં તપાસ અધિકારી પીઆઈ કે.એ.વાળા તેમજ હેડ કોન્સ્ટેબલ જે.એમ.જાડેજા પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુમ થયેલા રેખાબેન હાલ મળી આવ્યા છે અને તેઓને મોરબીના ખાખરેચી ગામે રહેતા મનસુખ ઉર્ફે સુનિલ સુરેશભાઈ ઉચાસ્ણા જાતે કોળી (૨૮) ની સાથે પ્રેમ સંબંધ હોય તેમને ત્યાં ચાલ્યા ગયા હતા તેમ તેણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે.

રાજકોટ ખસેડાયા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલા હનુમાન મંદિર નજીકથી આશરે પચાસેક વર્ષના અજાણ્યા પુરુષને ગંભીર હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર બાદ હાલ તેઓને રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.વાહન અકસ્માત બનાવમાં તેઓને ઈજા પહોંચી છે તેમ એ ડિવિઝન પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા પાસેથી જાણવા મળેલ છે અને તેઓ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

ટીકળા ખાઈ જતા સારવારમાં

મોરબી ખાતે રહેતા જાવેદ રસુલભાઈ જાંગીયા નામના ૨૫ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગાંધી ચોક પાસે દવાના ટીકડા ખાઈ લીધા હતા જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.






Latest News