રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમા ભાઈના ઘરે જવાનું કહીને નીકળેલ પરિણીતા પ્રેમ સંબંધમાં ભાગી ગઈ હોવાનું ખુલ્યું..!


SHARE









મોરબીમા ભાઈના ઘરે જવાનું કહીને નીકળેલ પરિણીતા પ્રેમ સંબંધમાં ભાગી ગઈ હોવાનું ખુલ્યું..!

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામે ટેસા સેનેટરી નામના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ થાન તાલુકાના વીજળીયા ગામના વતની રેખાબેન બાબુભાઈ ગાંગિયા નામની ૪૧ વર્ષીય મહિલા ગુમ થઈ ગઈ હતી અને પોતે પોતાના ભાઈના ઘરે જાય છે તેમ કહીને નીકળ્યા બાદ ગુમ થયેલી મહિલા પરત ન ફરતા આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ થવા પામી હતી. દરમ્યાનમાં તપાસ અધિકારી પીઆઈ કે.એ.વાળા તેમજ હેડ કોન્સ્ટેબલ જે.એમ.જાડેજા પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુમ થયેલા રેખાબેન હાલ મળી આવ્યા છે અને તેઓને મોરબીના ખાખરેચી ગામે રહેતા મનસુખ ઉર્ફે સુનિલ સુરેશભાઈ ઉચાસ્ણા જાતે કોળી (૨૮) ની સાથે પ્રેમ સંબંધ હોય તેમને ત્યાં ચાલ્યા ગયા હતા તેમ તેણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે.

રાજકોટ ખસેડાયા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલા હનુમાન મંદિર નજીકથી આશરે પચાસેક વર્ષના અજાણ્યા પુરુષને ગંભીર હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર બાદ હાલ તેઓને રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.વાહન અકસ્માત બનાવમાં તેઓને ઈજા પહોંચી છે તેમ એ ડિવિઝન પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા પાસેથી જાણવા મળેલ છે અને તેઓ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

ટીકળા ખાઈ જતા સારવારમાં

મોરબી ખાતે રહેતા જાવેદ રસુલભાઈ જાંગીયા નામના ૨૫ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગાંધી ચોક પાસે દવાના ટીકડા ખાઈ લીધા હતા જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.






Latest News