વાંકાનેરના અમરસર પાસે બાઇક ચાલકે હડફેટે લેતા માટેલ જતાં રાજકોટના પદયાત્રી વુદ્ધાનું મોત
મોરબી જીલ્લામાં કારખાના છાપરા બદલવા કે રીપેર કરવામાં શ્રમિકોની સલામતી રાખવા કારખાનેદારોને તાકીદ
SHARE
મોરબી જીલ્લામાં કારખાના છાપરા બદલવા કે રીપેર કરવામાં શ્રમિકોની સલામતી રાખવા કારખાનેદારોને તાકીદ
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં ગઈકાલે કરા પડ્યા હોવાથી ઘણા કારખાનામાં શેડના છાપરા તૂટી ગયા છે ત્યારે સિમેન્ટ શિટના છાપરાના રીપેરીંગ કે પતરા બદવાની કામગીરી કરતાં પહેલા શ્રમિકોની પુરતી સલામતી રાખવા માટે કારખાનેદારોને તાકીદ કરવામાં આવી છે અને જો બેદરકારી રાખવામા આવશે તો ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા કારખાના ધારા-૧૯૪૮ હેઠળ સખ્ત કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ઉદ્યોગકારોને જણાવવામાં આવ્યું છે
મોરબી જિલ્લામાં આવેલ તમામ કારખાનાના માલીક અને સંચાલકોને જાણ કરવામાં આવી છે કે, તાજેતરમાં તા. ૨૬ ના રોજ આવેલ તેજ પવન સાથે કમોસમી કરાનો વરસાદ પછી કારખાનામાં અગર કોઈ જુના કે જર્જીત કે તૂટી જવાની સંભાવના હોય તેવા બિલ્ડીંગના ભાગો કે અન્ય જોખમી ભાગો હોય તો આવા દરેક ભાગોને તાકીદે રીપેરીંગ કરશો અને આવા દરેક ભાગોની આજુબાજુ કોઈપણ શ્રમીક, શ્રમયોગી કે વ્યક્તિ ના જાય તેની પૂરતી તકેદારી રાખશો તથા સિમેન્ટ શિટના છાપરાના રીપેરીંગ કે પતરા બદવાની કામગીરી માટે કોઈપણ શ્રમિકોને કામે રોકતા પહેલા તેઓની પુરતી સલામતી માટે આઇએસ સ્ટાન્ડર્ડના સલામતીના સાધનો જેવા કે, સેફટી બેલ્ટ, સેફટી હાર્નેસ, હેલ્મેટ, ક્રાઉલિંગ બોર્ડ, વગેરે સાધનો અચૂક આપવા તથા કામગીરી શરુ કરતા પહેલા "પરમીટ-ટુ-વર્ક એટ હાઈટ" સિસ્ટમનો અમલ થાય તથા આવી કામગીરી જવાબદાર વ્યક્તિના સતત સુપરવિઝન હેઠળ જ કરવામાં આવે તે સુનિસ્ચિત કરવાનું રહેશે
વધુમાં જણાવ્યુ છે કે, એલપીજી ટેંક અને એલપીજી કે નેચરલ ગેસની પાઇપલાઇન ચાલુ કરતા પહેલા લાઈનમાં કોઈપણ જાતની લીકેજ ન હોય તેની ખાતરી કરી લેવી અને એલપીજી/નેચરલ ગેસ વપરાશ અંગેની SOP ચુસ્ત રીતે અમલ કરવી અને એલપીજી લીકેજ ના થાય તે અંગે તેના સુરક્ષાના સાધનો જેવા કે એલપીજી સેન્સર, એલપીજી/નેચરલ ગેસ લીકેજ ડિટેક્ષન સિસ્ટમ અને ફાયર ફાઈટિંગના સાધનો કામ કરે છે કે નહીં તેની સુનિશ્ચિત કરવી અને લેમીનેટના કારખાનામાં ફોર્માલ્ડિહાઈડના પ્લાન્ટ ચાલુ કરતા પહેલા ફિનોલ, મિથેનોલ તથા ફોર્માલ્ડિહાઈડની પાઇપલાઇન યોગ્ય રીતે ચેક કરવી અને પ્લાન્ટ ચાલુ કરવા અંગેની સુરક્ષિત SOP અમલ કરવાની રહેશે જો તેમ કરવામાં ચૂક થશે કે કોઈપણ શ્રમિકોને અકસ્માત નડશે તો નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, મોરબી કચેરી દ્વારા કારખાના ધારા-૧૯૪૮ હેઠળ સખ્ત કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ઉદ્યોગકારોને જણાવવામાં આવ્યું છે









