મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસર પાસે બાઇક ચાલકે હડફેટે લેતા માટેલ જતાં રાજકોટના પદયાત્રી વુદ્ધાનું મોત


SHARE















વાંકાનેરના અમરસર પાસે બાઇક ચાલકે હડફેટે લેતા માટેલ જતાં રાજકોટના પદયાત્રી વુદ્ધાનું મોત

રાજકોટના કેવડાવાળી વિસ્તારમાં રહેતા વૃદ્ધા પગપાળા ચાલીને માટેલ માતાજીના મંદિરે દર્શન કરવા માટે થઈને આવી રહ્યા હતા ત્યારે વાંકાનેર કૂવડવા રોડ ઉપર આવેલ શીત કેન્દ્ર દૂધની ડેરી અમરસર પાસે અજાણ્યા બાઈક ચાલકે વૃદ્ધાને હડફેટ લીધા હતા જેથી કરીને તેઓ રસ્તા ઉપર નીચે પટકાતા તેને માથા અને શરીરે ઇજાઓ થઈ હતી અને તેઓનું મોત થયું હતું જે બનાવમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલકની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના કેવડાવાડી શેરી નં-૫ માં ગુંદાવાડી શાક માર્કેટ પાસે રહેતા મધુસુદનભાઈ જાદવજીભાઈ સોજીત્રા જાતે પટેલ (૬૭)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બાઈક નંબર જીજે ૩ સીએમ ૯૯૧૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓના પત્ની મનિષાબેન મધુસુદનભાઈ સોજીત્રા જાતે પટેલ (૬૩) રહે. કેવડાવાડી શેરી નં-૫ રાજકોટથી પગપાળા ચાલીને માટેલ ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી બાઈક ચાલકે તેઓને શીત કેન્દ્ર દૂધની ડેરી અમરસર પાસે હડફેટે લીધા હતા અને ફરિયાદીના પત્ની રસ્તા ઉપર ફંગોળાઈ જતા તેઓને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News