મોરબી જિલ્લામાં વિકસિત સંકલ્પ ભારત યાત્રા અંતર્ગત ટી.બી. રોગની વિસ્તૃત માહિતી અપાઈ
મોરબીના જલારામ મંદિરે નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ યોજાયો
SHARE
મોરબીના જલારામ મંદિરે નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ યોજાયો
મોરબી શહેરના રઘુવીર સેના સાવૅજનિક ટ્રસ્ટ અને સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના બીજા માળે રાહત દરે કાર્યરત ફિઝીયોકેર-ફિઝીયોથેરાપી અને રીહેબિલીટેશન સેન્ટરનાં સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન મોરબીના જલારામ મંદિરે કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ મગજ અને મણકા ની તકલીફનાં નિષ્ણાત માસ્ટર ઓફ ફિઝીયોથેરપી MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમે સેવા આપી હતી. આ કેમ્પ ને સફળ બનાવવા માટે પ્રમુખ ગિરીશ ભાઈ, ગેલાણી નિર્મિત ભાઈ કક્કડ તથા અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી. અને ખરાબ વાતાવરણના કારણે જે લોકો કેમ્પનો લાભ લઈ શક્યા નથી તે દર્દીઓને ફિઝીયોકેર-ફિઝીયોથેરાપી અને રીહેબિલીટેશન સેન્ટરનો સંપર્ક કરવા ડો. કેશા અગ્રવાલની યાદીમાં જણાવાયું હતું.