Morbi Today
મોરબીના સિંધુ ભવન ખાતે સિંધી સમાજ દ્વારા ગુરુનાનક જયંતી ઉજવાઇ
SHARE
મોરબીના સિંધુ ભવન ખાતે સિંધી સમાજ દ્વારા ગુરુનાનક જયંતી ઉજવાઇ
મોરબીના સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે ગુરુનાનક ભગવાનની જન્મજયંતીની ઉજવણી ભવ્ય અને દિવ્ય રીતે કરવામાં આવી હતી. અને મોરબીના સિંધી સમાજ દ્વારા સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે અખંડ પાઠ સાહેબનો ભોગ સાહેબ આયોજન કરાયું હતું જે અખંડ પાઠ ચાલતા હોય જેની આજે પુર્ણાહુતી કરવામાં આવી હતી. તો બપોરે લંગર પ્રસાદનો લાભ લેવા સિંધી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. અને લંગર પ્રસાદ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. તેમજ રાત્રીના કીર્તન સાથે ગુરુ નાનક જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.તો સાંજે શોભાયાત્રા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા









