આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં માવઠાથી થયેલ નુકશાન સામે તાત્કાલિક વીમા કંપનીએ વિમાની રકમ ચૂકવવી જોઈએ: લાલજીભાઇ મહેતા


SHARE













મોરબી જીલ્લામાં માવઠાથી થયેલ નુકશાન સામે તાત્કાલિક વીમા કંપનીએ વિમાની રકમ ચૂકવવી જોઈએ: લાલજીભાઇ મહેતા

હાલમાં કરા સાથે વરસાદ પડેલ છે જેનાથી સીરામીક ઉદ્યોગ તથા અન્ય નાના મોટા ઉદ્યોગોને તથા ખેડુતના પાકને નુકશાન થવાની શકયતા વધારે છે. ત્યારે વીમા કંપની આવા સમયે વિમો આપવામાં હાથ ઉંચા કરી નાખે છે અને વીમો ચુકવતા નથી તેવું જાણવા મળેલ છે. આ અંગે ઉગ્ર રજુઆત વિમા લોકપાલને મોરબી શહેર, જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ કરેલ છે.

મોરબી સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તા.૨૬-૧૧ ને રવિવારે સમગ્ર ગુજરાતમાં કરા સાથે વરસાદ પડેલ છે. મોરબી માં સીરામીક ઉદ્યોગ તથા અન્ય ઉદ્યોગને નુકશાની થયેલ છે જેમાં શેડના પતરા તુટવા, નીચે પડેલ માલને નુકશાન થયેલ છે તેવી જ રીતે ખેડુતોને ખેતીમાં નુકશાન થયેલ છે. વેપારી અને ખેડુતો વિમો ભરેલ છે જેથી વીમા કંપનીએ ગ્રાહકને વિમો આપવો જોઈએ જાણવા પ્રમાણે આવા સમયે વિમા કંપની વિમો ચુકવવામાં હાથ ઉંચા કરી નાખે છે વિમાના એજન્ટો વિમા લેવા માટે જેતે સમયે ગ્રાહકને આંબા-આંબલી બતાવતા હોય છે પણ આવા સમયે એજન્ટો એ વિમા કંપની સામે લાલ આંખ કરીને ગ્રાહકને વીમ મળે તેવા પ્રયત્ન કરવા જોઇએ સીરામીક ઉદ્યોગને કરા પડવાથી પતરા તુટી ગયેલ છે અને નીચે પડેલ માલ સામગ્રીને નુકશાન થયેલ છે. અને પડેલ બરફ કાઢવા માટે ઘણી મહેનત કરવી પડેલ છે. જાણવા મળેલ છે કે આ વરસાદને કારણે વીસથી પચ્ચીસ દિવસ ફેકટરી બંધ રહેશે ત્યારે વિમા કંપનીઓને વધારેમાં વધારે પ્રીમીયમ હિચકિચાટ કે બાના બતાવ્યા સિવાય તાત્કાલીક ગ્રાહકને ચુકવવો જોઇએ. તેમાં જરા પણ સીથીલતા ન હોવી જોઇએ આ વરસાદને કારણે થયેલ નુકશાનીનો વીમો ગ્રાહકને ઝડપથી મળે તે અંગે વિમા લોકપાલને ગ્રાહક સુરક્ષા પ્રમુખ લાલજીભાઈ મહેતા તથા મંત્રી રામભાઈ મહેતાએ રજુઆત કરેલ છે. દરેક વિમા ગ્રાહકે પોતાના એજન્ટને બોલાવી વિમા રકમની કાર્યવાહી કરવી જોઈએ. ગ્રાહક કે સમજવુ જોઇએ કે આપણે વીમો ભરીએ છીએ માટે વિમા કંપની એ વિમો આપવો જોઈએ તે તેની ફરજ થાય છે તેવી જ રીતે ખેડુતોનો જુથ વીમો હોય સહકારી મંડળી અને કો-ઓ. બેન્કે વિમા અંગેની કાર્યવાહી તાત્કાલીક કરવી જોઇએ જેથી ગ્રાહકને ન્યાય મળી શકે તેમ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઇ મહેતાએ યાદીમાં જણાવેલ છે.






Latest News