મોરબી નજીકના ગામમાં પેટમાં દુખાવો ઊપડતાં સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત
SHARE
મોરબી નજીકના ગામમાં પેટમાં દુખાવો ઊપડતાં સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત
મોરબી તાલુકાના બરવાળા ગામે વાડે રહેતા અને ત્યાં મજૂરીકામ કરતાં મહિલાને પેટમાં દુખાવો પડ્યો હતો જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવની મૃતકના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસને બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના નાની ઝેર ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બરવાળા ગામે દિનેશભાઈ હીરાભાઈ બાવરવાના વાડે રહીને મજુરી કામ કરતા રેખાબેન મહેશભાઈ નાયકા (૨૭) નામની મહિલા વાડે હતી ત્યારે ત્યાં તેને પેટમાં દુખાવો પડ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી ત્યારબાદ મહિલાના મૃતદેહને અંતિમ વિધિ માટે તેના વતનમાં લઈ ગયા હતા અને ત્યાં મૃતક મહિલાના ભાઈએ પોતાની બહેનના મરણનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને પીએમ કરાવ્યું હતું અને ત્યારબાદ આ બનાવ અંગેની મૃતક મહિલાના ભાઈએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની હાજરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.એલ. ઝાલા ચલાવી રહ્યા છે.









