મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં લહેરૂ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન  


SHARE







મોરબીમાં લહેરૂ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન  

મોરબી જીલ્લા સિનિયર સીટીઝન કાઉન્સિલના પ્રમુખ ર્ડો. બી.કે. લહેરૂ દ્વારા લહેરૂ પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કથાનો પ્રારંભ તા ૨૮ થી કરવામાં આવશે અને કથા વિરામ તા ૪ ના રોજ થશે અને આ કથા મોરબીના શનાળા રોડથી રવાપર રોડ તરફ જવાના રસ્તે મહાવીર સોસાયટીના ગ્રાઉન્ડ રાખવામા આવી છે

આ કથામાં વ્યાસપીઠ ઉપરથી ભાગવર્તાચાર્ય વકતા શાસ્ત્રી ચેતનભાઈ સાતા (દ્વારકાવાળા) તેઓની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે આ કથા દરરોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ તથા બપોરે ૩.૩૦ થી ૬.૩૦ ચાલશે અને લહેરૂ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના પાવન પ્રસંગોમાં તા. ૨૮ ના રોજ સવારે ૦૮-૩૦ કલાકે  પોથી યાત્રા નરસંગ ટેકરી થી કથા સ્થળ સુધી વાજતે ગાજતે નીકળશે તે ઉપરાંત કથા દરમ્યાન નૃસિંહ અવતાર, કપીલ જન્મ, વામન ઉત્સવ, શ્રીરામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગિરીરાજ ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ, પરીક્ષિત મોક્ષ તથા યજ્ઞ, ભાગવત દશાંશવૃત-હુંડી વાંચન જેવા પ્રસંગો ઉજવવામાં આવશે

આ કથાના દિવસો દરમિયાન રોજ રાત્રીના સમયમાં અલગ અલગ પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા.૨૮ સનાતન ધુન મંડળ, તા.૨૯ પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન સેવા કેન્દ્ર તરફથી સંગીત, તા.૩૦ લોક સાહિત્યકાર ડો. વિક્રમવાળા તથા ઇન્દ્રરાજ સિંધવ ટીવી તથા રેડીયો કલાકાર, તા.૧ મેજીક શો સૌરાષ્ટ્ર ફેમસ જાદુગર જીવા, તા. ૨ સુંદરકાંડ પાઠ (હળવદ ગૃપ), તા.૩ ચિત્રા હનુમાનજી ધુન મંડળ (મોરબી)તથા તા.૦૩-૧૨-૨૦૨૩, સવારે ૯-૦૦ થી ૧૨-૩૦ કલાકે બ્લડગ્રુપ તથા બ્લડ સુગર કેમ્પ ડો. લહેરૂ લેબોરેટરી તરફથી વિના મુલ્યે આયોજન કરવામાં આવ્યું છે તેમજ કથા દરમ્યાન સવારે ૯-૦૦ થી ૧૧-૦૦ સામાન્ય રોગની દવા વિના મુલ્ય આપવામાં આવશે. આ કથા શ્રવણ કરવા આવેલ તમામ લોકો માટે સવારે તથા સાંજે એમ બંને ટાઈમ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૩ ના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તો મોરબી સમસ્ત બ્રહ્મસમાજ તથા મોરબીની ધર્મપ્રેમી જનતાને કથાનો લાભ લેવા મનોરથી ર્ડો બી.કે. લહેરૂ અને તેના પરિવારે આમંત્રણ આપ્યું છે






Latest News