મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા પંચાયતમાં ૩૦ મીએ કારોબારી સમિતિની બેઠક મળશે


SHARE













ટંકારા તાલુકા પંચાયતમાં ૩૦ મીએ કારોબારી સમિતિની બેઠક મળશે

ટંકારા તાલુકા પંચાયતના ખુબ ચકચાર જગાવી શાશક પક્ષ તરીકે રહેલ ભાજપના નેતાઓ નારાજગી વ્યક્ત કરી કારોબારી સમિતિની અઠી વર્ષની મુદત પૂરી થતાં નવી સમીતીની રચના વખતે મેન્ડેટ મુજબની રચના કરવાને બદલે બાગી સભ્યો દ્વારા નવી કમિટી બનાવી રીતસરની જીત મેળવી ગુજરાતના રાજકારણમાં ચકચાર જગાવી હતી.

જોકે આલા કમાન્ડના નેતા રાતોરાત આ મામલે ટાઢું પાડવા ટંકારા દોડી આવ્યા હોય ધીના ઠામમાં ઘી પડી ગયું હતું અને ચુંટાયેલી કમીટીએ રાજીનામું આપી નવી કમિટી બનાવી હતી પરંતુ આ કમિટીના ચેરમેન તરીકે ચુટવા માટે એજન્ડા બહાર પાડવામાં ખુબ લાબો સમય રાહ જોઈ દુધના દાઝેલ છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે એવો ધાટ સર્જાયો હતો અને લાબો સમયથી કારોબારી બેઠક મળી ન હોય અનેક કામો પેન્ડીંગ પડ્યા છે. જે હવે આગામી ૩૦ નવેમ્બરે બપોરના ૧૨ વાગ્યે નવી સમીતી નવા અધ્યક્ષને ચુટી કાઢવામાં આવશે  જે બાદ કમિટી પેન્ડીંગ કામો તાકીદે યોગ્ય નિકાલ કરે એ જનહિત માટે જરૂરી છે.

શુ આ કમિટીના સભ્યો પણ અધ્યક્ષ ચુટવામા ખેલ કરી શકે છે?

ચર્ચાસ્પદ બનેલી ભાજપ શાસિત ટંકારા તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેનની વરણીને લઈને ભારે ગરમાવો આવી ગયો હતો જે હજી પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે અને એવા સંજોગો જોઇ અધ્યક્ષ ચુટવા ની પ્રકિયા બહુ વિલંબ થયો છે અને હજુ પણ રાજકીય રીતે પંથકમાં કાઠું કાઢનાર ખેલ બગાડી શકે છે તેવી બિક સતાવતી હોય એવી વાતો આંતરિક સૂત્રો પાસેથી જાણવા મળે છે. જોકે હવે કોઈ નારાજગી ન હોય એવી વાત ખુદ નારાજ સભ્યો પણ કરી રહ્યા છે.






Latest News