ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા પંચાયતમાં ૩૦ મીએ કારોબારી સમિતિની બેઠક મળશે


SHARE













ટંકારા તાલુકા પંચાયતમાં ૩૦ મીએ કારોબારી સમિતિની બેઠક મળશે

ટંકારા તાલુકા પંચાયતના ખુબ ચકચાર જગાવી શાશક પક્ષ તરીકે રહેલ ભાજપના નેતાઓ નારાજગી વ્યક્ત કરી કારોબારી સમિતિની અઠી વર્ષની મુદત પૂરી થતાં નવી સમીતીની રચના વખતે મેન્ડેટ મુજબની રચના કરવાને બદલે બાગી સભ્યો દ્વારા નવી કમિટી બનાવી રીતસરની જીત મેળવી ગુજરાતના રાજકારણમાં ચકચાર જગાવી હતી.

જોકે આલા કમાન્ડના નેતા રાતોરાત આ મામલે ટાઢું પાડવા ટંકારા દોડી આવ્યા હોય ધીના ઠામમાં ઘી પડી ગયું હતું અને ચુંટાયેલી કમીટીએ રાજીનામું આપી નવી કમિટી બનાવી હતી પરંતુ આ કમિટીના ચેરમેન તરીકે ચુટવા માટે એજન્ડા બહાર પાડવામાં ખુબ લાબો સમય રાહ જોઈ દુધના દાઝેલ છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે એવો ધાટ સર્જાયો હતો અને લાબો સમયથી કારોબારી બેઠક મળી ન હોય અનેક કામો પેન્ડીંગ પડ્યા છે. જે હવે આગામી ૩૦ નવેમ્બરે બપોરના ૧૨ વાગ્યે નવી સમીતી નવા અધ્યક્ષને ચુટી કાઢવામાં આવશે  જે બાદ કમિટી પેન્ડીંગ કામો તાકીદે યોગ્ય નિકાલ કરે એ જનહિત માટે જરૂરી છે.

શુ આ કમિટીના સભ્યો પણ અધ્યક્ષ ચુટવામા ખેલ કરી શકે છે?

ચર્ચાસ્પદ બનેલી ભાજપ શાસિત ટંકારા તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેનની વરણીને લઈને ભારે ગરમાવો આવી ગયો હતો જે હજી પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે અને એવા સંજોગો જોઇ અધ્યક્ષ ચુટવા ની પ્રકિયા બહુ વિલંબ થયો છે અને હજુ પણ રાજકીય રીતે પંથકમાં કાઠું કાઢનાર ખેલ બગાડી શકે છે તેવી બિક સતાવતી હોય એવી વાતો આંતરિક સૂત્રો પાસેથી જાણવા મળે છે. જોકે હવે કોઈ નારાજગી ન હોય એવી વાત ખુદ નારાજ સભ્યો પણ કરી રહ્યા છે.






Latest News