વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક મોરબી નજીક રામકો વિલેજ સોસાયટી સામે બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં તાલુકા કક્ષાનો અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE













વાંકાનેરમાં તાલુકા કક્ષાનો અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

બંધારણ દિવસ નિમિતે વાંકાનેર ખાતે મેઘમાયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા સર અમરસિંહજી હાઇસ્કૂલના ઓડિટોરિયમ હૉલ ખાતે તાલુકા કક્ષાનો અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓનો અને નવનિયુક્ત સરકારી કર્મચારીઓનો સન્માન કાર્યક્રમનું સી.એન. અંબાલીયાના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન જેઠાભાઈ પારઘી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ધો. ૧૦, ૧૨, વ્યવસાયલક્ષી કોર્ષના, સ્નાતક, અનુસ્નાતક તેમજ મેડિકલક્ષેત્રના તેજસ્વી વિધાર્થીઓને શિલ્ડ, પ્રસસ્તીપત્ર અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ તાજેતરમાં સરકારી સેવામાં જોડાયેલા સમાજના નવયુવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વાંકાનેર શહેર અને ગ્રામ્ય કક્ષાએથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારે આ કાર્યક્રમમાં વાંકાનેરના પ્રાંત અધિકારી એ.એચ. શેરસિયા, વાંકાનેર સિટી પી.આઈ. પી.ડી. સોલંકી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ.એમ. છાસિયા, સર અમરસિંહજી હાઇસ્કૂલના આચાર્ય એમ.જી. સોલંકી, પી.એસ.આઈ. જીતુભાઈ ચાવડા વિગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ વી.એન. ચાવડા, મંત્રી હસુભાઈ મકવાણા, સહમંત્રી રસિકભાઈ વોરા, સામાજિક આગેવાનો પ્રિતેશભાઈ સોલંકી, રઘુભાઈ નગવાડિયા, મૂળજીભાઈ ચાવડા, કમલેશભાઇ બારોટ વિગેરે લોકોએ જહેમત ઉઠાવી હતી.






Latest News