મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અગાસીના પગથિયાં ચડતી વખતે ઠેસ વાગતા પડી જવાથી ઇજા પામેલા આધેડનું મોત


SHARE













વાંકાનેરમાં અગાસીના પગથિયાં ચડતી વખતે ઠેસ વાગતા પડી જવાથી ઇજા પામેલા આધેડનું મોત

વાંકાનેરના દિવાનપરા રણજીતપરા વિસ્તારમાં ભારત ઓઇલ મીલની પાછળના ભાગમાં રહેતા આધેડ પોતે પોતાના ઘરે હતા ત્યારે અગાસીના પગથિયાં ચડતી વખતે ઠેસ વાગતા તેઓ પડી ગયા હતા અને તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને વાંકાનેરમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના દિવાનપરા રણજીતપરા વિસ્તારમાં ભારત ઓઇલ મીલની પાછળના ભાગમાં રહેતા ભરતભાઈ નરસીભાઈ સોલંકી જાતે કોળી (૫૦) નામના આધેડ પોતાના ઘરે અગાસીમાં પગથીયા ચડતી વખતે પગે ઠેસ વાગતા પડી ગયા હતા જેથી કરીને તેઓને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેઓને પ્રાથમિક સારવાર વાંકાનેરમાં આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના પરિવારજન નીતિનભાઈ અરવિંદભાઈ સોલંકી રહે. દિવાનપરા રણજીતપરા ભારત ઓઇલ મીલની પાછળ વાંકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મહિલાનું મોત

અમદાવાદમાં ઇન્ડિયા બુલ્સ સેન્ટમ સરસપુર ખાતે રહેતા હિરલબેન ભરતભાઈ ડાભી જાતે રજપૂત (૩૯) નામની મહિલા વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં શંકર ભગવાનના મંદિર પાસે હતી ત્યારે તેને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તે મહિલાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા સારવાર દરમિયાન ત્યાં ફરજ પરના હાજર ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી જેથી આ બનાવની મોરબીની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના વાલજીભાઈ રામજીભાઈ પરમાર ચલાવી રહ્યા છે






Latest News