મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

વાંકાનેરના દિવાનપરામાં બાંધકામનો કાટમાળ તોડતા સમયે ઇજા પામેલા બે વ્યક્તિના મોત


SHARE









વાંકાનેરના દિવાનપરામાં બાંધકામનો કાટમાળ તોડતા સમયે ઇજા પામેલા બે વ્યક્તિના મોત

વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં આવેલ જૂની પીજીવીસીએલની કચેરીનો કાટમાળ તોડવા માટેની કામગીરી કરવામાં આવી હતી દરમિયાન દરવાજા ઉપરથી છજુ પડતા અને દિવાલ પડવાના કારણે કુલ મળીને બે મજૂરો ત્યાં દટાયા હતા જે પૈકીના એકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જો કે, એક યુવાનને ઇજા થઈ હોવાથી સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું પણ મોત નીપજયું હતું આમ આ ઘટનામાં કુલ મળીને બે વ્યક્તિઓના મોત નીપજયાં છે જેની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જણા કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ દિવાનપરા વિસ્તારમાં જૂની પીજીવીસીએલની કચેરીનું ભાડા વાળુ બિલ્ડીંગ ખાલી પડ્યું હતું જે બિલ્ડીંગનું નવીનીકરણ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જૂના બાંધકામને તોડવા માટેની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ત્યાં દિવાલ પડવાના કારણે અરજણભાઈ રાજેશભાઈ બાલસિંગ જાતે ભીલ (૧૮) નામના યુવાનની ઉપર તે દિવાલનો કાટમાળ પડતાં તેનું ગંભીર ઇજા થવાના કારણે મોત નીપજ્યું હતું જો કે, આ ઘટનામાં દરવાજા ઉપરનું છજુ માથા ઉપર પડવાથી મૂનસિંગ કેનસિંગ ડામોર (૪૫) રહે. ગોકુલનગર ઝૂપડા વાંકાનેર વાળાને ગંભીર ઇજા થઇ હોવાથી પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી અકસ્માતની આ ઘટનામાં કુલ મળીને બે વ્યક્તિઓના મોત નીપજયાં છે તે અંગેની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક મુનસિંગ ડામોરને સંતાનમાં ચાર દીકરા અને ચાર દીકરી છે આ અકસ્માતની ઘટનાના કારણે આઠ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવેલ છે






Latest News