મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આયોજન સમિતિનો ચુંટણી કાર્યક્રમ પ્રસિદ્ધ


SHARE













મોરબી જિલ્લા આયોજન સમિતિનો ચુંટણી કાર્યક્રમ પ્રસિદ્ધ

મોરબી જિલ્લા આયોજન સમિતિની ચુંટણી યોજવા માટેનો તબક્કાવાર કાર્યક્રમ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના તારીખ.૨૨/૦૧/૨૦૧૬ ના નોટીફીકેશનના નિયમ-૪ મુજબ પ્રાપ્ત થયેલ સત્તાની રૂએ નિયમ-૧૨ અન્વયે ચુંટણી સત્તાધિકારી અને મોરબી જિલ્લા કલેકટરશ્રી દ્વારા ચુંટણી કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.

આ ચુંટણી કાર્યક્રમ અનુસાર ૧૫મી ડિસેમ્બરે સવારના ૧૧.૦૦ કલાક થી ૧૫.૦૦ કલાક સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. તા.૧૮-૧૨-૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક થી ૧૫.૦૦ કલાક સુધીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને તા.૨૧-૧૨-૨૦૨૩ ના રોજ ૧૫.૦૦ કલાક સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. તા.૨૨-૧૨-૨૦૨૩ ના રોજ હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે તેમજ તા.૦૨-૦૧-૨૦૨૪ ના રોજ ચુંટણી સત્તાધિકારીએ જાહેર કરેલ મતદાન મથકો ઉપર આવશ્યક હોય તો સવારના ૯.૦૦ વાગ્યા થી બપોરના ૧.૦૦ વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. તા.૦૩-૧-૨૦૨૪ ના રોજ સવારે ૯.00 કલાકથી મતગણતરી કરવામાં આવશે અને તે જ દિવસે ચુંટણીનું પરીણામ જાહેર કરવામાં આવશે.

વાંકાનેર તાલુકા ફરિયાદ નિવારણ

લોકોની ફરિયાદોના નિવારણ માટે તાલુકા કક્ષાએ યોજાતો ડિસેમ્બર-૨૦૨૩ માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમઆગામી તા.૨૭/૧૨/૨૦૨૩ ના રોજ સવારે ૧૧ વાગ્યે વાંકાનેર તાલુકા સેવા સદનના સભાખંડમાં યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૧૦મી ડિસેમ્બર સુધી ગ્રામ્ય કક્ષાએ તલાટી મંત્રીને તથા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીનાં વડાને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. આ અરજીના મથાળે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે. જેની અરજદારોને નોંધ લેવા વાંકાનેર મામલતદાર યુ.વી. કાનાણી દ્વારા જણાવાયું છે






Latest News