આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં સામાકાંઠે રિલીફનગરમાં લોકોના ઘરમાં ગટરના પાણી ભરાયા: પાલિકાની ઘોર બેદરકારી


SHARE













મોરબીમાં સામાકાંઠે રિલીફનગરમાં લોકોના ઘરમાં ગટરના પાણી ભરાયા: પાલિકાની ઘોર બેદરકારી

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલા રિલીફનગરમાં છેલ્લા ઘણા મહિનાથી ગટરની સમસ્યા છે અને તેના માટે પાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી છે તો પણ પાલિકા દ્વારા નક્કર કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને ગટરના ગંદા પાણી આજની તારીખે લોકોના ઘરમાં અને શેરીમાં ભરાયા છે જેથી કરીને લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને રોગચાળો ફાટી નીકળે તેવી દેહશત લોકોમાં જોવા મળી રહી છે ત્યારે રિલીફનગરના બ્લોક નં-૩૭ માં રહેતા પ્રમોદકુમાર ચુનીલાલ મહેતાએ માહિતી આપતા જણાવ્યું છે કે, છેલ્લા સાત મહીનાથી તેમની શેરીમાં અને ઘરમાં ગટરના ગંદા પાણી છે આ બાબતે નગરપાલિકાને રજુઆત કરવા છતાં કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને લોકો હેરાન છે.તેમજ સફાઈ માટે આવતા લોકો "આગળ કુંડી તૂટી ગઈ છે" તેવું છેલ્લા ત્રણ મહિનાથી કહે છે પરંતુ તે રીપેરીંગનું કામ કરવામાં આવતું ન હોય કે જે કામ હોય તે પણ હાલ આ રીલીફનગર વિસ્તારની અંદર છેલ્લા દોઢ મહિનાથી લોકોના ઘરમાં ગટરના પાણી ભરાયેલા છે જે તસવીરમાં જોઈ શકાય છે. ! (






Latest News