મોરબીમાં સામાકાંઠે રિલીફનગરમાં લોકોના ઘરમાં ગટરના પાણી ભરાયા: પાલિકાની ઘોર બેદરકારી
મોરબીમાં લહેરૂ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાઇ: પત્રકારોનું કરાયું સન્માન
SHARE
મોરબીમાં લહેરૂ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાઇ: પત્રકારોનું કરાયું સન્માન
મોરબી જીલ્લા સિનિયર સીટીઝન કાઉન્સિલના પ્રમુખ ર્ડો. બી.કે. લહેરૂ દ્વારા લહેરૂ પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતી અને આ કથા તા ૨૮ થી શરૂ કરવામાં આવી હતી અને તેની પૂર્ણાહુતિ તા ૪ ના રોજ કરવામાં આવી હતી ત્યારે મોરબીના શનાળા રોડથી રવાપર રોડ તરફ જવાના રસ્તે મહાવીર સોસાયટીના ગ્રાઉન્ડ યોજાયેલ આ કથાનો સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો અને પરિવારના લોકો તેમજ નગરજનોએ લાભ લીધો હતો અને આ કથામાં વ્યાસપીઠ ઉપરથી ભાગવર્તાચાર્ય વકતા શાસ્ત્રી ચેતનભાઈ સાતા (દ્વારકાવાળા)એ તેઓની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું આ કથા દરમ્યાન નૃસિંહ અવતાર, કપીલ જન્મ, વામન ઉત્સવ, શ્રીરામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગિરીરાજ ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ, પરીક્ષિત મોક્ષ તથા યજ્ઞ, ભાગવત દશાંશવૃત-હુંડી વાંચન જેવા ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા તેની સાથોસાથ ર્ડો. બી.કે. લહેરૂ અને લહેરૂ પરિવાર દ્વારા મોરબીના તમામ પત્રકારોનું શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું સંચાલન શેલેષભાઈ રાવલે કર્યું હતું.