મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં લહેરૂ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાઇ: પત્રકારોનું કરાયું સન્માન


SHARE













મોરબીમાં લહેરૂ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાઇ: પત્રકારોનું કરાયું સન્માન

મોરબી જીલ્લા સિનિયર સીટીઝન કાઉન્સિલના પ્રમુખ ર્ડો. બી.કે. લહેરૂ દ્વારા લહેરૂ પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતી અને આ કથા તા ૨૮ થી શરૂ કરવામાં આવી હતી અને તેની પૂર્ણાહુતિ તા ૪ ના રોજ કરવામાં આવી હતી ત્યારે મોરબીના શનાળા રોડથી રવાપર રોડ તરફ જવાના રસ્તે મહાવીર સોસાયટીના ગ્રાઉન્ડ યોજાયેલ આ કથાનો  સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો અને પરિવારના લોકો તેમજ નગરજનોએ લાભ લીધો હતો અને આ કથામાં વ્યાસપીઠ ઉપરથી ભાગવર્તાચાર્ય વકતા શાસ્ત્રી ચેતનભાઈ સાતા (દ્વારકાવાળા)એ તેઓની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું આ કથા દરમ્યાન નૃસિંહ અવતાર, કપીલ જન્મ, વામન ઉત્સવ, શ્રીરામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગિરીરાજ ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ, પરીક્ષિત મોક્ષ તથા યજ્ઞ, ભાગવત દશાંશવૃત-હુંડી વાંચન જેવા ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા તેની સાથોસાથ ર્ડો. બી.કે. લહેરૂ અને લહેરૂ પરિવાર દ્વારા મોરબીના તમામ પત્રકારોનું શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું સંચાલન શેલેષભાઈ રાવલે કર્યું હતું.






Latest News