મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં ઉર્જા બચત પર્વ નિમિત્તે શેરી નાટકો, ગ્રામસભા, સેમિનાર અને રેલી સહિતના કાર્યક્રમનું પીજીવીસીએલ દ્વારા આયોજન


SHARE









મોરબીમાં ઉર્જા બચત પર્વ નિમિત્તે શેરી નાટકો, ગ્રામસભા, સેમિનાર અને રેલી સહિતના કાર્યક્રમનું પીજીવીસીએલ દ્વારા આયોજન

મોરબીમાં રાષ્ટ્રિય ઊર્જા બચત પર્વ નિમિતે ઊર્જા બચત માસ અને ઊર્જા સપ્તાહ અંતર્ગત પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ બચત અને વીજ સલામતીનો હેતુ સિદ્ધ કરવા માટે વિવિધ કાર્યક્રમ અને રેલીનું આયોજન કરેલ છે.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડીસેમ્બર -૨૦૨૩ ઊર્જા બચત માસ પર્વની ઉજવણી અંતર્ગત ઊર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઊર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા મોરબી જિલ્લામાં ગ્રામ્ય, તાલુકા, જીલ્લા મથકે બેનરો, પેમ્પ્લેટો, સેરી નાટકો, ગ્રામસભા,સેમિનાર, તથા સ્કૂલ અને કૉલેજમાં નિંબંધ,વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ છે.તેમજ તા ૧૧-૧૨ થી ૧૬-૧૨ સુધી ઊર્જા સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે આમ ઊર્જા બચત માસ અને ઊર્જા સપ્તાહની ઉજવણી થશે જે અંતર્ગત તા.૧૪-૧૨ ના રોજ પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ સલામતી અને વીજ બચત રેલીનું આયોજન કરેલ છે.જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ દ્વારા જન જાગૃતિ અંગેનું આયોજન કરેલ છે.આ રેલી તી.૧૪ ના સવારના ૯-૩૦ કલાકે પાવર હાઉસ કમ્પાઉન્ડથી મહારાણા પ્રતાપ સર્કલથી મયુર પુલ થઇને નગર દરવાજાથી રવાપર રોડ અને નવા બસ સ્ટેન્ડથી ઉમિયા સર્કલ થઇને ભક્તિનગર સર્કલ ખાતે પૂર્ણ થશે.તેમ મોરબી વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એસ.એચ. રાઠોડે યાદીમાં જણાવેલ છે.






Latest News