મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના બેલા ગામ પાસે દૂકનમાંથી 100 કિલો કોપર વાયર સહિત 1.42 લાખના મુદામાલની ચોરી: ઘુનડા (સ) ગામે તળાવ પાસેથી 20 કિલો કોપર વાયરની ચોરી મોરબી નજીક કારખાનામાં પેપર રોલ માથે પડવાથી શ્રમિક યુવાનનું મોત: ત્રાજપર ખરીમાં જુગાર રમતા બે પકડાયા મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર
Breaking news
Morbi Today

જેરામભાઈએ નૈતિકતાના ધોરણે ઉમિયાધામ સીદસરના પ્રમુખ પદેથી રાજીનામુ આપવું જોઈએ: મનોજ પનારા


SHARE









જેરામભાઈએ નૈતિકતાના ધોરણે ઉમિયાધામ સીદસરના પ્રમુખ પદેથી રાજીનામુ આપવું જોઈએ: મનોજ પનારા

તાજેતરમાં વાંકાનેરના વઘાસિયા ટોલનાકની બાજુમાં બોગસ ટોલનાકુ ઊભું કરીને ઉઘરાણા કરવામાં આ હતા તેની ફરિયાદ નોંધાયેલ છે જેમાં ઉમિયાધામ સીદસરના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના દીકરાનું નામ પણ આરોપી તરીકે છે ત્યારે મોરબીમાં રહેતા પાસ અને કોંગ્રેસના આગેવાન મનોજ પનારાએ જેરામભાઈએ નૈતિકતાના ધોરણે ઉમિયાધામ સીદસરના પ્રમુખ પદેથી રાજીનામું મૂકવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરીને તેઓના રાજીનામાની માંગ કરેલ છે

મોરબીમાં રહેતા પાસ અને કોંગ્રેસના આગેવાન મનોજ પનારાએ સોશ્યલ મીડિયામાં તેનો એક વિડીયો અપલોડ કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વઘાસિયાના બોગસ ટોલનાકા પ્રકરણમા ઉમિયાધામ સીદસર પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના દીકરા અમરસીભાઈનું નામ છે અને તેના સહિત કુલ પાંચ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાયેલ છે ત્યારે જેરામભાઈએ નૈતિકતાના ધોરણે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરીને તેના રાજીનામાંની માંગ કરી છે વધુમાં મનોજ પનારાએ જણાવ્યું છે કે, જેરામભાઈ વાસજાળીયા લાંબા સમયથી પ્રમુખ પદે છે અને સમાજમાં તેનો આંતરિક વિરોધ પણ છે અને પાટીદાર અનામત આંદોલન સમયે પણ જેરામભાઈની વરવી ભૂમિકા રહી હતી જેથી કરીને હાલમાં જેરામભાઈએ પોતાના પદ ઉપરથી સ્વૈચ્છીક રીતે રાજીનામુ આપવું જોઈએ અને યુવાનોને સમાજનું પ્રતિનિધિત્વ કરવા માટેની તક આપવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી છે






Latest News