મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીકના ગેરકાયદે ટોલનાકાની તપાસ માટે ચાર અધિકારીઓની ખાસ કમિટીની રચના કરાઇ


SHARE













વાંકાનેર નજીકના ગેરકાયદે ટોલનાકાની તપાસ માટે ચાર અધિકારીઓની ખાસ કમિટીની રચના કરાઇ

મોરબી વાંકાનેર હાઇવે ઉપર વઘાસિયા પાસે આવેલ ટોલનાકાને બાયપાસ કરીને ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા. જે બાબતના સમાચારો પ્રસિદ્ધ થયા બાદ તાત્કાલિક તપાસના આદેશો દેવામાં આવ્યા હતા અને કલેક્ટર દ્વારા કરવામાં આવેલા આદેશ બાદ વાંકાનેરના પ્રાંત અધિકારી દ્વારા હાલમાં જુદા જુદા ચાર વિભાગના અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવી છે અને આ કમિટી દ્વારા સમગ્ર મામલાની જુદી જુદી દિશાઓમાં તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેના રિપોર્ટના આધારે પ્રાંત અધિકારી દ્વારા જિલ્લા કલેકટરને રિપોર્ટ આપવામાં આવશે ત્યાર પછી કલેક્ટર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે

મોરબી વાંકાનેર હાઇવે ઉપર વઘાસિયા પાસે કેન્દ્ર સરકાર સંચાલિત ટોલ પ્લાઝા આવેલ છે અને તેનું સંચાલન હાલમાં સેફ વે નામની કંપનીને સોંપવામાં આવ્યું છે અને આ ટોલનાકા ઉપરથી પસાર થતા વાહન ચાલકો પાસેથી સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ચાર્જ મુજબની રકમ વસૂલ કરવામાં આવી રહી છે જોકે, આ ટોલનાકાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ટોલનાકા ઉપર લેવામાં આવતો ટોલની અડધી રકમ કરતા પણ ઓછી રકમ લઈને ત્યાંથી વાહનોને પસાર થવા દેવામાં આવતા હતા

તેવી જ રીતે વઘાસીયા ગામ પાસેથી પણ વાહનોને ગેરકાયદે ઉઘરાણા કરીને પસાર કરવા દેવામાં આવતા હતા આમ ટોલનાકાની બંને બાજુએથી વાહનોની અવરજવર ગેરકાયદે થતી હતી અને ત્યાં પૈસાના ઉઘરાણા પણ થતા હતા જે બાબતના સમાચારો પ્રસિદ્ધ થયા બાદ તાત્કાલિક જિલ્લા કલેક્ટર દ્વારા તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો અને વાંકાનેરના પ્રાંત અધિકારી એ.એચ. સેરસિયાને આ અંગેની તપાસ સોંપવામાં આવેલ છે ત્યારબાદ વાંકાનેરના પ્રાંત અધિકારી દ્વારા હાલમાં મામલતદાર, ટીડીઓ, પીઆઇ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી આમ કુલ મળીને ચાર અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવી છે અને આ ચારેય અધિકારીઓ સંયુક્તમાં ગેરકાયદે બની ગયેલા ટોલનાકાની જુદીજુદી દિશામાં તપાસ કરશે અને તેઓ રિપોર્ટ આપશે તેના આધારે વાંકાનેરના પ્રાંત અધિકારી દ્વારા કલેક્ટરને ફાઇનલ રિપોર્ટ આપવામાં આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે






Latest News