માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી દારૂ અને બિયરની 19,068 બોટલ ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા, મુખ્ય સપ્લાયર સહિત 9 સામે ગુનો નોંધાયો મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત મોરબી સબ જેલમાં જડતીમાં જતી સ્થાનિક પોલીસને કશું મળતું નથી !, આજે જડતી સ્કવોર્ડ જેલરની ટીમે બે મોબાઈલ ફોન શોધી કાઢ્યા, તપાસનો ધમધમાટ  હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા મામલે મોરબીના રાજપુત કરણી સેનાની આગેવાનીમાં કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE













રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા મામલે મોરબીના રાજપુત કરણી સેનાની આગેવાનીમાં કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

રાજસ્થાનમાં થોડા દિવસો પહેલા રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની તેના ઘરમાં ઘુસીને ગોળી ધરબીને હત્યા કરવામાં આવી છે જેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે મોરબી રાજપૂત કરણી સેનાની આગેવાનીમાં રાજપૂત સમાજના આગેવાનો તેમજ હિન્દૂ યુવા વાહીની સંસ્થાઓના આગેવાનોની હાજરીમાં કલેકટરને આવેદન આપીને આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી રાજપૂત કરણી સેનાની આગેવાનીમાં મોરબી રાજપૂત સમાજના હોદેદારો સહિતના રાજપૂત સમાજના લોકો તેમજ હિન્દૂ યુવા વાહીની સંસ્થાઓના હોદેદારો સહિતનાઓની હાજરીમાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેના જણાવ્યુ છે કે, થોડા દિવસો પહેલા રાજસ્થાનમાં રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની તેના ઘરમાં ઘુસીને ફાયરીગ કરીને નિર્મમ હત્યા કરવામાં આવી છે તે ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે અને આ હત્યાના બનાવમાં રાજકારણના દોરીસંચારને જવાબદાર ઠેરવી જેલમાં બેઠા બેઠા સોપારી આપી ભાડૂતી હત્યારા મારફત હત્યા કરાઈ છે ત્યારે આરોપી જે કોઈ હોય તેને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને વધુમાં આગેવાનોએ જણાવ્યુ છે કે, સુખદેવસિંહ ગોગામેડીએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું હોવા છતાં ન મળ્યું અને તેની હત્યા થઈ છે ત્યારે આ બનાવની તટસ્થ તપાસ કરવામાં આવે અને તેમાં જે કોઈ સંડોવાયેલ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. અને જો આ ઘટનામાં ન્યાય નહી મળે તો રાજપૂત સમાજમાં હાલમાં જે રોષની લાગણી છે તે ભવિષ્યમાં આંદોલનનું સ્વરૂપ લેશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News