મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેરના સરતાનપર રોડ પર પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો આધારિત મોક ડ્રીલ યોજાઈ મોરબીના રફાળેશ્વર ગામ પાસે સીરામીક કારખાનામાં બનાવેલ ગોડાઉનમાં રાખવામાં આવેલ નાફેડની મગફળીના જથ્થામાં વિકરાળ આગ, ફાયરની 7 ટીમો સ્થળ ઉપર મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી
Breaking news
Morbi Today

રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા મામલે મોરબીના રાજપુત કરણી સેનાની આગેવાનીમાં કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE









રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા મામલે મોરબીના રાજપુત કરણી સેનાની આગેવાનીમાં કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

રાજસ્થાનમાં થોડા દિવસો પહેલા રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની તેના ઘરમાં ઘુસીને ગોળી ધરબીને હત્યા કરવામાં આવી છે જેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે મોરબી રાજપૂત કરણી સેનાની આગેવાનીમાં રાજપૂત સમાજના આગેવાનો તેમજ હિન્દૂ યુવા વાહીની સંસ્થાઓના આગેવાનોની હાજરીમાં કલેકટરને આવેદન આપીને આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી રાજપૂત કરણી સેનાની આગેવાનીમાં મોરબી રાજપૂત સમાજના હોદેદારો સહિતના રાજપૂત સમાજના લોકો તેમજ હિન્દૂ યુવા વાહીની સંસ્થાઓના હોદેદારો સહિતનાઓની હાજરીમાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેના જણાવ્યુ છે કે, થોડા દિવસો પહેલા રાજસ્થાનમાં રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની તેના ઘરમાં ઘુસીને ફાયરીગ કરીને નિર્મમ હત્યા કરવામાં આવી છે તે ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે અને આ હત્યાના બનાવમાં રાજકારણના દોરીસંચારને જવાબદાર ઠેરવી જેલમાં બેઠા બેઠા સોપારી આપી ભાડૂતી હત્યારા મારફત હત્યા કરાઈ છે ત્યારે આરોપી જે કોઈ હોય તેને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને વધુમાં આગેવાનોએ જણાવ્યુ છે કે, સુખદેવસિંહ ગોગામેડીએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું હોવા છતાં ન મળ્યું અને તેની હત્યા થઈ છે ત્યારે આ બનાવની તટસ્થ તપાસ કરવામાં આવે અને તેમાં જે કોઈ સંડોવાયેલ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. અને જો આ ઘટનામાં ન્યાય નહી મળે તો રાજપૂત સમાજમાં હાલમાં જે રોષની લાગણી છે તે ભવિષ્યમાં આંદોલનનું સ્વરૂપ લેશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News