મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં રસોઈ બનાવતા સમયે દાઝી ગયેલ મહિલા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઇ


SHARE







મોરબીમાં રસોઈ બનાવતા સમયે દાઝી ગયેલ મહિલા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઇ

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપના સામેના ભાગે આવેલા અરૂણોદયનગર વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષીય મહિલા તેઓના ઘરે વહેલી સવારે રસોઇ બનાવતા સમયે દાઝી ગયા હતા અને તેમને મોરબીથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે અરૂણોદયનગર વિસ્તારમાં ઉમા ટાઉનશીપના સામેના ભાગે રહેતા કારમલબેન એડમીનભાઈ નામની ૩૫ વર્ષીય ખ્રીસ્ચન મહિલા વહેલી સવારે ૬:૩૦ વાગ્યાના અરસામાં તેઓને ઢોસાનો ધંધો હોય રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે નવા લીધેલા મશીનમાં દાઝી ગયા હતા.જેથી મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને બાદમાં વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.આ બાબતે હોસ્પિટલ તરફથી જાણ કરાતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસે રેલ્વે ફાટકે આવેલ જગ્યાએ અગાઉ કુટ્ટીભાઈ ઢોસાવાળા જાણીતા હતા અને તેઓની દીકરી કારમલબેન એડમીનભાઈ હાલ ઢોસાનો ધંધો કરતા હોવાથી વહેલી સવારે ઢોસા બનાવવા માટેની રસોઈ કરી રહ્યા હતા ત્યારે દાજી જવાથી હાલ રાજકોટ ખસેડાયા છે.

યુવતી સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા ચાંચાવદરડા ગામે રહેતી રામેશ્વરીબેન દિનેશભાઈ રાઠવા નામની ૧૭ વર્ષીય યુવતીને ચાંચાવદરડા ગામે કોઈ બાબતે થયેલા ઝઘડા બાદની મારામારીના બનાવમાં ઈજાઓ થવાથી સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને બનાવ માળીયા પોલીસ મથકની હદનો હોય આ અંગેની આગળની તપાસ માટે માળિયા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.






Latest News