મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર
Breaking news
Morbi Today

હળવદના અજીતગઢ ગામ પાસે કેનાલમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE













હળવદના અજીતગઢ ગામ પાસે કેનાલમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

હળવદ તાલુકાના અજીતગઢથી ખોડ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી નર્મદાની કેનાલમાં યુવાન ન્હાવા માટે ગયો હતો.ત્યારે ડૂબી જવાથી તે યુવાનનું મોત નિપજયુ હતુ જેથી કરીને આ બનાવ અંગેની મૃતક યુવાનના ભાઈ દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ મૂળ વડોદરાના સાવલી તાલુકાના રહેવાસીને હાલમાં હળવદ તાલુકાના અજીતગઢ ગામની સીમમાં વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દિલીપભાઈ ધુળાભાઈ નાયક (૪૦) નર્મદાની અજીતગઢથી ખોડ ગામ વચ્ચેની કેનાલમાં ન્હાવા માટે ગયા હતા અને ત્યારે નર્મદા કેનાલના પાણીમાં ડૂબી જવાના કારણે તેનુ ઘટના સ્થળે જ મોત થયુ હતું અને આ બનાવ અંગેની મૃતક દિલીપભાઈ ના ભાઈ જગદીશભાઈ ધુળાભાઈ નાયક (૪૫) રહે હાલ મહાપુરા વિઠ્ઠલભાઈ પટેલની વાડીએ તાલુકો સાવલી જીલ્લો વડોદરા વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News