માળીયા (મી) ના નવા અંજિયાસર ગામે રહેતી યુવતીએ પોતાના ઘરમાં અંતિમ પગલું ભર્યું
હળવદના અજીતગઢ ગામ પાસે કેનાલમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
SHARE
હળવદના અજીતગઢ ગામ પાસે કેનાલમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
હળવદ તાલુકાના અજીતગઢથી ખોડ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી નર્મદાની કેનાલમાં યુવાન ન્હાવા માટે ગયો હતો.ત્યારે ડૂબી જવાથી તે યુવાનનું મોત નિપજયુ હતુ જેથી કરીને આ બનાવ અંગેની મૃતક યુવાનના ભાઈ દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગત મુજબ મૂળ વડોદરાના સાવલી તાલુકાના રહેવાસીને હાલમાં હળવદ તાલુકાના અજીતગઢ ગામની સીમમાં વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દિલીપભાઈ ધુળાભાઈ નાયક (૪૦) નર્મદાની અજીતગઢથી ખોડ ગામ વચ્ચેની કેનાલમાં ન્હાવા માટે ગયા હતા અને ત્યારે નર્મદા કેનાલના પાણીમાં ડૂબી જવાના કારણે તેનુ ઘટના સ્થળે જ મોત થયુ હતું અને આ બનાવ અંગેની મૃતક દિલીપભાઈ ના ભાઈ જગદીશભાઈ ધુળાભાઈ નાયક (૪૫) રહે હાલ મહાપુરા વિઠ્ઠલભાઈ પટેલની વાડીએ તાલુકો સાવલી જીલ્લો વડોદરા વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.