માળીયા (મી) ના નવા અંજિયાસર ગામે રહેતી યુવતીએ પોતાના ઘરમાં અંતિમ પગલું ભર્યું
SHARE
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના નવા અંજીયાસર ગામે રહેતા અબ્દુલભાઈ હબીબભાઈ માણેકની ૧૮ વર્ષની દીકરી હસીનાબેન માણેક એ પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને માળિયા મિયાણામાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઇ તપાસીને તે યુવતીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના જી.પી.મારૂણીયા ચલાવી રહ્યા છે.