મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના અજીતગઢ ગામ પાસે કેનાલમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE







હળવદના અજીતગઢ ગામ પાસે કેનાલમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

હળવદ તાલુકાના અજીતગઢથી ખોડ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી નર્મદાની કેનાલમાં યુવાન ન્હાવા માટે ગયો હતો.ત્યારે ડૂબી જવાથી તે યુવાનનું મોત નિપજયુ હતુ જેથી કરીને આ બનાવ અંગેની મૃતક યુવાનના ભાઈ દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ મૂળ વડોદરાના સાવલી તાલુકાના રહેવાસીને હાલમાં હળવદ તાલુકાના અજીતગઢ ગામની સીમમાં વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દિલીપભાઈ ધુળાભાઈ નાયક (૪૦) નર્મદાની અજીતગઢથી ખોડ ગામ વચ્ચેની કેનાલમાં ન્હાવા માટે ગયા હતા અને ત્યારે નર્મદા કેનાલના પાણીમાં ડૂબી જવાના કારણે તેનુ ઘટના સ્થળે જ મોત થયુ હતું અને આ બનાવ અંગેની મૃતક દિલીપભાઈ ના ભાઈ જગદીશભાઈ ધુળાભાઈ નાયક (૪૫) રહે હાલ મહાપુરા વિઠ્ઠલભાઈ પટેલની વાડીએ તાલુકો સાવલી જીલ્લો વડોદરા વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News