મોરબીના શનાળા રોડ ખાતે આવેલ રામ જન્મભૂમિ અક્ષત મહા અભિયાન કાર્યાલય ખાતે ધારાસભ્યએ પૂજન કર્યું
મોરબી માટે ગૌરવ : શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા સમસ્ત સૌરાષ્ટ્ર પાટીદાર વતી પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે સન્માન
SHARE
મોરબી માટે ગૌરવ : શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા સમસ્ત સૌરાષ્ટ્ર પાટીદાર વતી પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે સન્માન
શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા દર વરે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારનુ પ્રતિભાશાળી સન્માન કરીને તેમને પ્રોત્સાહિત કરવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવે છે.જે અંતરગત શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે મોરબીના શિક્ષક વિજયભાઈ દલસાણીયાનું સન્માન ચીમનભાઈ સાપરીયાનાહસ્તે કરવામાં આવ્યું હતુ.આ સન્માન તેમને રાજ્યના બેસ્ટ ટીચર તરીકેનો એવોર્ડ-૨૦૨૨ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રાપ્ત થતાં કરવામાં આવ્યું હતુ.વિજયભાઈને અત્યાર સુધીમાં ૧૨ એવોર્ડ અને ૪૮ સન્માન પ્રાપ્ત થયા છે.તેમના આ કાર્યને પ્રોત્સાહિત કરવા બદલ સમગ્ર શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના તમામ ટ્રસ્ટીગણ અને પાટીદાર પરિવારનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.