હળવદના રાણેકપર ગામે મોરબી-સુરેન્દ્રનગર જીલ્લાના કોંગ્રેસ સેવાદળનો સ્નેહમિલન સમારોહ યોજાશે
મોરબીમાં સેનેટરીના કારખાનામાં બાળ શ્રમિકને કામે રાખનારની ધરપકડ
SHARE
મોરબીમાં સેનેટરીના કારખાનામાં બાળ શ્રમિકને કામે રાખનારની ધરપકડ
મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ બહાદુરગઢ ગામના પાટીયા પાસે સેનેટરીવેરના કારખાનામાં બાળ શ્રમિકને કામે રાખવામાં આવ્યો હતો જેથી અધિકારી દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે બાળ શ્રમિક મળી આવતા કોન્ટ્રાક્ટર સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શ્રમ અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી જેમા પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે.
મોરબીની આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં બાળ શ્રમિકોને કામે રાખવામાં આવતા હોવા અંગેની સરકારી શ્રમ અધિકારીને ફરિયાદ મળતી હોય છે જેના આધારે જુદી જુદી જગ્યાએ ચેકિંગ અને રેડની કામગીરી કરવામાં આવતી હોય છે તે રીતે જ મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ બહાદુરગઢ ગામના પાટીયા પાસે એજીએલ સેનેટરીવેર નામના કારખાનામાં કોન્ટ્રાક્ટર દ્વારા બાળ શ્રમિકને કામે રાખીને કામ કરાવવામાં આવી રહ્યું છે તે પ્રકારની માહિતી આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે કારખાનામાં કોન્ટ્રાક્ટરે બાળ શ્રમીકને કામે રાખ્યો હોય તે બાબતે ગુનો નોંધાયો હતો જેની તપાસ દરમિયાન તાલુકા પોલીસના વી.એસ.ડાંગર દ્રારા આ ગુનામાં કારખાનાના કોન્ટ્રાકટર લખાઈભાઇ પાંડુભાઇ કિસ્કુ આદીવાસી (૨૫) હાલ રહે.એજીએલ સેનેટરીવેર બહાદુરગઢ મૂળ રહે.નાટીપિર ઓરીસાની ધરપકડ કરવામાં આવી હતી.
ફાંસો ખાઈ જતા યુવાન સારવારમા
મોરબીના જેતપર રોડ ઉપર બેલા-રંગપર નજીક આવેલ વેગાન્ટો સિરામિકના લેબર કવાટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતો નરસિંહભાઈ સાલૈયા (ઉમર ૨૨) નામનો યુવાન કોઈ અગમ્ય કારણોસર તેના ક્વાટર ખાતે ગળાફાંસો ખાઈ ગયો હતો જેથી તેને શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગર દ્વારા બનાવના કારણ બાબતે આગળની તપાસ હાથ ધકવામાં આવી હતી તેમ તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.