મોરબી બાર એસો.ના હોદેદારોની આગમી ૨૨ મીએ ચૂંટણી: પ્રમુખ માટે ચાર ઉમેદવાર
હળવદના રાણેકપર ગામે મોરબી-સુરેન્દ્રનગર જીલ્લાના કોંગ્રેસ સેવાદળનો સ્નેહમિલન સમારોહ યોજાશે
SHARE
હળવદના રાણેકપર ગામે મોરબી-સુરેન્દ્રનગર જીલ્લાના કોંગ્રેસ સેવાદળનો સ્નેહમિલન સમારોહ યોજાશે
મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સેવાદળનો સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ તા. ૧૭ ને રવિવારે સવારે ૧૦ કલાકે હળવદ તાલુકાનાં રાણેકપર ગામે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે યોજાશે અને ત્યારે અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડા અને પ્રગતીબેન આહીર સહિતના અગ્રણીઓ પધારશે જે સ્નેહમિલન સમારોહમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરોએ પધારવા માટે મોરબી જીલ્લા કોંગ્રેસ સેવાદળ પ્રમુખ બાબુભાઈ જેમલભાઇ રબારીની યાદીમાં જણાવ્યું છે