મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પકડાયેલ નકલી ટોલનાકા કાંડમાં સંડોવાયેલા બે આરોપીઓના આગોતરા જામીનની અરજી નામંજૂર


SHARE









મોરબી જિલ્લામાં પકડાયેલ નકલી ટોલનાકા કાંડમાં સંડોવાયેલા બે આરોપીઓના આગોતરા જામીનની અરજી નામંજૂર

મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલ વાંકાનેરના વઘાસીયા ગામ નજીકના નકલી ટોલનાકા પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધયેલ છે જો કે, આરોપી હજુ સુધી પકડાયેલ નથી ત્યાં પાંચ પૈકીનાં બે આરોપીએ તેના વકીલ મારફતે મોરબીની અધિક સેશન્સ કોર્ટમાં આગોતર જામીન માટે અરજી કરી હતી જે બંને આરોપીઓની આગોતરા જામીન અરજીને નામંજૂર કરવામાં આવેલ છે

વાંકાનેરના વઘાસિયા પાસે નકલી ટોલનાકા સામે આવ્યા હતા જેથી કરીને તેની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે નામ જોગ ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં વ્હાઈટ હાઉસ સિરામિક ફેકટરીના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા તેની સાથે સંડોવાયેલા માણસો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનામાં હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી તેવામાં પાંચ પૈકીનાં બે આરોપી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને તેના ભાઈ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલાના વકીલ મારફતે આગોતરા જામીન મેળવવા માટે મોરબીની અધિક સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેને કોર્ટે નામંજૂર કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, આરોપી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા ભાજપના આગેવાન છે અને આ ચકચારી કેસમાં ભાજપના આગેવાન તેમજ પાટીદાર સમાજના આગેવાનના દીકરાનો સમાવેશ થાય છે જેથી પોલીસે હજુ સુધી કોઈ આરોપીને પકડી શકી નથી તેવું લોકોમાં ચર્ચાઇ રહયું છે






Latest News