મોરબી જિલ્લા સંકલનની બેઠકમાં વિકાસકાર્યો સમયમર્યાદામાં પૂરા કરવા ધારાસભ્યોએ કરી ટકોર
મોરબી જિલ્લામાં પકડાયેલ નકલી ટોલનાકા કાંડમાં સંડોવાયેલા બે આરોપીઓના આગોતરા જામીનની અરજી નામંજૂર
SHARE
મોરબી જિલ્લામાં પકડાયેલ નકલી ટોલનાકા કાંડમાં સંડોવાયેલા બે આરોપીઓના આગોતરા જામીનની અરજી નામંજૂર
મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલ વાંકાનેરના વઘાસીયા ગામ નજીકના નકલી ટોલનાકા પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધયેલ છે જો કે, આરોપી હજુ સુધી પકડાયેલ નથી ત્યાં પાંચ પૈકીનાં બે આરોપીએ તેના વકીલ મારફતે મોરબીની અધિક સેશન્સ કોર્ટમાં આગોતર જામીન માટે અરજી કરી હતી જે બંને આરોપીઓની આગોતરા જામીન અરજીને નામંજૂર કરવામાં આવેલ છે
વાંકાનેરના વઘાસિયા પાસે નકલી ટોલનાકા સામે આવ્યા હતા જેથી કરીને તેની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે નામ જોગ ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં વ્હાઈટ હાઉસ સિરામિક ફેકટરીના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા તેની સાથે સંડોવાયેલા માણસો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનામાં હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી તેવામાં પાંચ પૈકીનાં બે આરોપી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને તેના ભાઈ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલાના વકીલ મારફતે આગોતરા જામીન મેળવવા માટે મોરબીની અધિક સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેને કોર્ટે નામંજૂર કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, આરોપી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા ભાજપના આગેવાન છે અને આ ચકચારી કેસમાં ભાજપના આગેવાન તેમજ પાટીદાર સમાજના આગેવાનના દીકરાનો સમાવેશ થાય છે જેથી પોલીસે હજુ સુધી કોઈ આરોપીને પકડી શકી નથી તેવું લોકોમાં ચર્ચાઇ રહયું છે