મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પકડાયેલ નકલી ટોલનાકા કાંડમાં સંડોવાયેલા બે આરોપીઓના આગોતરા જામીનની અરજી નામંજૂર


SHARE







મોરબી જિલ્લામાં પકડાયેલ નકલી ટોલનાકા કાંડમાં સંડોવાયેલા બે આરોપીઓના આગોતરા જામીનની અરજી નામંજૂર

મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલ વાંકાનેરના વઘાસીયા ગામ નજીકના નકલી ટોલનાકા પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધયેલ છે જો કે, આરોપી હજુ સુધી પકડાયેલ નથી ત્યાં પાંચ પૈકીનાં બે આરોપીએ તેના વકીલ મારફતે મોરબીની અધિક સેશન્સ કોર્ટમાં આગોતર જામીન માટે અરજી કરી હતી જે બંને આરોપીઓની આગોતરા જામીન અરજીને નામંજૂર કરવામાં આવેલ છે

વાંકાનેરના વઘાસિયા પાસે નકલી ટોલનાકા સામે આવ્યા હતા જેથી કરીને તેની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે નામ જોગ ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં વ્હાઈટ હાઉસ સિરામિક ફેકટરીના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા તેની સાથે સંડોવાયેલા માણસો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનામાં હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી તેવામાં પાંચ પૈકીનાં બે આરોપી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને તેના ભાઈ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલાના વકીલ મારફતે આગોતરા જામીન મેળવવા માટે મોરબીની અધિક સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેને કોર્ટે નામંજૂર કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, આરોપી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા ભાજપના આગેવાન છે અને આ ચકચારી કેસમાં ભાજપના આગેવાન તેમજ પાટીદાર સમાજના આગેવાનના દીકરાનો સમાવેશ થાય છે જેથી પોલીસે હજુ સુધી કોઈ આરોપીને પકડી શકી નથી તેવું લોકોમાં ચર્ચાઇ રહયું છે






Latest News