મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે ચામુંડા માતાજીના મઢ ખાતે બદ્રકિયા પરિવાર દ્વારા નવચંડી હવનનું આયોજન


SHARE













મોરબીના રાજપર ગામે ચામુંડા માતાજીના મઢ ખાતે બદ્રકિયા પરિવાર દ્વારા નવચંડી હવનનું આયોજન

મોરબી નજીકના રાજપર ગામે આવેલ ચામુંડા માતાજીના મઢ ખાતે બદ્રકિયા પરિવાર દ્વારા ચામુંડા માતાજીનો નવચંડી હવન રાખવામાં આવ્યો છે અને આગામી તા. ૨૦ ને બુધવારના રોજ આ કાર્યક્રમ યોજાશે જેમાં સમસ્ત ગુર્જર સુથાર બદ્રકિયા પરિવારના લોકોને હાજર રહેવા તેમજ દર્શન અને પ્રસાદનો લાભ લેવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

મોરબી નજીકના રાજપર ગામે બદ્રકિયા પરિવારના ચામુંડા માતાજીનો મઢ આવેલ છે અને ત્યાં ચામુંડા માતાજીના નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તા. ૨૦ ના રોજ બુધવારે સવારે ૬:૩૦ વાગ્યે ગણેશ પૂજન, ૭:૩૦ વાગ્તે હવન પૂજન અને બપોરે ૧:૦૦ વાગ્યે હવનમાં શ્રીફળ હોમવામાં આવશે અને ત્યારબાદ બપોરે ૧:૩૦ વાગ્યે રાજપર ગામે આવેલ હનુમાનજી મંદિર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાપ્રસાદના મુખ્ય દાતા સ્વ. ઓધવજીભાઈ કલ્યાણજીભાઈ બદ્રકિયા હસ્તે કાંતિલાલ ઓધવજીભાઈ બદ્રકિયા છે તેમજ યજ્ઞ કુંડ ઉપર યજમાન તરીકે જેન્તીભાઈ દેવજીભાઈ બદ્રકિયા, મહેશભાઈ અમૃતલાલ બદ્રકિયા અને નંદકિશોર લાલજીભાઈ બદ્રકિયા બેસવાના છે વધુમાં આયોજકોએ જણાવ્યું છે કે સમસ્ત ગુર્જર સુતાર બદ્રકિયા પરિવારના ધો. ૧ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તેને ઇનામ વિતરણ કરવાનું અને સન્માનીત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે થઈને તમામ પરિવારના બાળકોના માર્કશીટ તા. ૧/૨/૨૪ થી ૧/૫/૨૪ સુધીમાં મોકલાવી આપવાના રહેશે તેઓ બદ્રકિયા પરિવાર ટ્રસ્ટ રાજપર વતી હિંમતલાલ પ્રેમજીભાઈ બદ્રકિયાએ માહિતી આપતા જણાવેલ છે






Latest News