મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે ચામુંડા માતાજીના મઢ ખાતે બદ્રકિયા પરિવાર દ્વારા નવચંડી હવનનું આયોજન


SHARE









મોરબીના રાજપર ગામે ચામુંડા માતાજીના મઢ ખાતે બદ્રકિયા પરિવાર દ્વારા નવચંડી હવનનું આયોજન

મોરબી નજીકના રાજપર ગામે આવેલ ચામુંડા માતાજીના મઢ ખાતે બદ્રકિયા પરિવાર દ્વારા ચામુંડા માતાજીનો નવચંડી હવન રાખવામાં આવ્યો છે અને આગામી તા. ૨૦ ને બુધવારના રોજ આ કાર્યક્રમ યોજાશે જેમાં સમસ્ત ગુર્જર સુથાર બદ્રકિયા પરિવારના લોકોને હાજર રહેવા તેમજ દર્શન અને પ્રસાદનો લાભ લેવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

મોરબી નજીકના રાજપર ગામે બદ્રકિયા પરિવારના ચામુંડા માતાજીનો મઢ આવેલ છે અને ત્યાં ચામુંડા માતાજીના નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તા. ૨૦ ના રોજ બુધવારે સવારે ૬:૩૦ વાગ્યે ગણેશ પૂજન, ૭:૩૦ વાગ્તે હવન પૂજન અને બપોરે ૧:૦૦ વાગ્યે હવનમાં શ્રીફળ હોમવામાં આવશે અને ત્યારબાદ બપોરે ૧:૩૦ વાગ્યે રાજપર ગામે આવેલ હનુમાનજી મંદિર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાપ્રસાદના મુખ્ય દાતા સ્વ. ઓધવજીભાઈ કલ્યાણજીભાઈ બદ્રકિયા હસ્તે કાંતિલાલ ઓધવજીભાઈ બદ્રકિયા છે તેમજ યજ્ઞ કુંડ ઉપર યજમાન તરીકે જેન્તીભાઈ દેવજીભાઈ બદ્રકિયા, મહેશભાઈ અમૃતલાલ બદ્રકિયા અને નંદકિશોર લાલજીભાઈ બદ્રકિયા બેસવાના છે વધુમાં આયોજકોએ જણાવ્યું છે કે સમસ્ત ગુર્જર સુતાર બદ્રકિયા પરિવારના ધો. ૧ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તેને ઇનામ વિતરણ કરવાનું અને સન્માનીત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે થઈને તમામ પરિવારના બાળકોના માર્કશીટ તા. ૧/૨/૨૪ થી ૧/૫/૨૪ સુધીમાં મોકલાવી આપવાના રહેશે તેઓ બદ્રકિયા પરિવાર ટ્રસ્ટ રાજપર વતી હિંમતલાલ પ્રેમજીભાઈ બદ્રકિયાએ માહિતી આપતા જણાવેલ છે






Latest News