મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

આપણું કચ્છ-સ્વચ્છ કચ્છ: કચ્છના સાંસદ વિનોદભાઇએ સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ


SHARE









આપણું કચ્છ-સ્વચ્છ કચ્છ: કચ્છના સાંસદ વિનોદભાઇએ સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ

દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આપણું કચ્છ સ્વચ્છ કચ્છબને તેવી નેમ સાથે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ તથા કચ્છ લોકસભા દ્વારા કચ્છના તમામ શહેરો તથા ગામોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે રીલાયન્સ સર્કલ, ભુજ ખાતેથી સાંસદ સ્વચ્છતા અભિયાનનું પ્રારંભ કરાવવામાં આવેલ છે જે અંતર્ગત ન્યુ લોટસ કોલોની સામે, વાલ્મીકી નગરથી રીલાયન્સ સર્કલના માર્ગનું સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જીલ્લા ભા.જ.પા મહામંત્રી દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ભુજ નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન સોલંકી, સત્તાપક્ષ નેતા કમલભાઈ ગઢવી, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણી, શહેર ભા.જ.પા પ્રમુખ બાલકૃષ્ણભાઈ મોતા, જીલ્લા ભા.જ.પા ઉપપ્રમુખ શીતલભાઈ શાહ, તાલુકા ભા.જ.પા પ્રમુખ ભીમજીભાઈ જોધાણી, નગરસેવક દિવ્યરાજસિંહ જાડેજા, અનીલભાઈ છત્રાડા, કશ્યપભાઈ ગોર, ધીરેનભાઈ લાલન, રશીલાબેન પંડ્યા, વિનુદાન ગઢવી, ચેતનભાઈ કતીરા, રતનશી રાઠોડ, ચંદનસિંહ રાઠોડ, સંજયભાઈ ઠક્કર, માંડવી નગરપાલિકાના કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર, માંડવી શહેર ભા.જ.પા મહામંત્રી કિશનસિંહ જાડેજા, સ્વચ્છતા અભિયાન કાર્યક્રમના ઇન્ચાર્જ જયંતભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા આ અભિયાન હેઠળ વિધાનસભા વાઈઝ જીલ્લાના તમામ શહેરો અને ગામોમાં સફાઈ કાર્ય હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે સ્વચ્છતા એ એક આદત છે જે દરેક નાગરિક અને સમાજ એ કુદરતી રીતે અનુસરવી જોઈએ. પર્યાવરણ, રાષ્ટ્રની પ્રગતી અને વિકાસ માટે સ્વચ્છતા ખૂબ જ જરૂરી અને મહત્વપુર્ણ છે.






Latest News