મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાનાં અપહરણ-પોકસોના ગુનામાં આરોપીના શરતી જામીન મંજૂર


SHARE













વાંકાનેર તાલુકાનાં અપહરણ-પોકસોના ગુનામાં આરોપીના શરતી જામીન મંજૂર

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૩૭૬ (૨) (જે) (એન) તથા પોકસો એકટની કલમ ૫ (એલ), ૬ અને પોકસો કેશ નં. ૪૪/૨૩ ના ગુન્હામાં આરોપીનો જામીન પર છુટકારો થયેલ છે

આ કેસની મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી ગોલુ ખુમસીંગ બઘેલ રહે. વોર્ડ નં. ૧ સીલોટીયા ધનંદનખુદ પ્રિતમપુર થાના પ્રિતમપુર જીલ્લો ધાર મુળ રહે. કામટા થાના તરીલા જીલ્લો ધાર વાળાની આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૩૭૬ (૨) (જે) (એન) તથા પોકસો એકટની કલમ ૫ (એલ) ૬ મુજબ ના ગુન્હાના કામે ધરપકડ કરી હતી અને મોરબીની સેશન્સ કોર્ટમાં રજુ કરીને જયુડીશ્યલ કસ્ટડીમાં જેલ હવાલે કરેલ હતો ત્યારબાદ ચાર્જશીટ રજુ થતા કેસ નં. ૪૪/૨૩ થી સ્પે. પોકસો કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયેલ હતી ત્યારબાદ જામીન અરજી કરતા આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશની ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ સમક્ષ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરી હતી જેમાં આરોપીના વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા)એ સુપ્રીમ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઈને જજ ડી.પી. મહીડા સાહેબે આરોપી ગોલુ ખુમસીંગ બઘેલને ૨૫,૦૦૦ ના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુકત કરેલ છે. આ કેસમાં આરોપી ગોલુ ખુમસીંગ બઘેલના વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા.






Latest News