મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક મોરબી નજીક રામકો વિલેજ સોસાયટી સામે બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીના ગાળા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

મોરબી તાલુકાના ગાળા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી તેમજ મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી લાઈવ જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પ્રેરક સંદેશો ઉપસ્થિતોએ સાંભળ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું છે કે, ભારતનો દરેક નાગરિક વી.આઈ.પી. છે. ત્યારે આ તમામ વી.આઈ.પી. સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવાના હેતુથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. ત્યારે મોરબી તાલુકાના ગાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું તો મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીની ગાડી આજે ગાળાના આંગણે આવી છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સૌની સહભાગી સુનિશ્ચિત કરવાનો છે. સરકારની વિવિધ જનકલ્યાણની યોજનાઓથી કોઈ વંચિત ન રહે તે બાબતનું આ યાત્રા દરમિયાન ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈની સરકાર દ્વારા અહીં ખેતરે ખેતરે ડ્રીપ એરીગેશનથી ખેતી થાય તે તરફના આયોજનો કરવામાં આવી રહ્યા છે. વધુમાં તેમણે કોરોના કાળ દરમિયાન આરોગ્ય વિભાગે કરેલી કામગીરી માટે તમામ આરોગ્ય સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે રાશન કીટ તથા ઉજ્જવલા યોજના અન્વયે કીટ વગેરે લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગામમાં સફળ મહિલા શક્તિ તથા બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. અને મહાનુભાવો હસ્તે ગાળા ગ્રામ પંચાયતમાં સો ટકા નલ સે જલ તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ODF plus હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ સરપંચને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાસાયણિક ખાતરની આડઅસરો અને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપતું પ્રકૃતિ સંવર્ધન માટેનું નાટક તથા ધરતી માતાની વ્યથા રજૂ કરતા ગીત પર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટર જી.ટી. પંડ્યા, ડીડીઓ ડી.ડી. જાડેજા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા, ટીડીઓ પી.એસ. ડાંગર, ગામના સરપંચ તેમજ ગાળાના ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.






Latest News