મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ રાજકોટ નાગરીક બેંકને લોન માટે મોર્ગેજ કરેલ મકાન મુક્ત કરવા આદેશ


SHARE













મોરબીમાં આવેલ રાજકોટ નાગરીક બેંકને લોન માટે મોર્ગેજ કરેલ મકાન મુક્ત કરવા આદેશ

રાજકોટ નાગરીક બેંક લી. મોરબી શાખામાંથી લોન લીધેલ હતી. જે લોનની રકમ ભરપાઈ કરવા છતા તેમાં મોર્ગેજ કરેલ રમેશભાઈ ટપુભાઈ ભોરણીયાનું રાજકોટ સ્થિત મકાન રીલીઝ કરવામાં આવ્યું ન હતું જેથી કરીને મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નીવારણ કમિશનમાં કેસ કરવામાં આવેલ હતો જેમાં ફરિયાદીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને મોર્ગેજ કરેલ મકાન મુક્ત કરવા રાજકોટ નાગરિક બેંકને આદેશ કરેલ છે

મોરબીના વ્રજ સિરામિક પ્રા.લી. દ્વારા રાજકોટ નાગરીક બેંક લી. મોરબી શાખામાંથી લોન લીધેલ હતી. જે લોનની રકમ ભરપાઈ કરવા છતા તેમાં મોર્ગેજ કરેલ રમેશભાઈ ટપુભાઈ ભોરણીયાનું રાજકોટ સ્થિત મકાન રીલીઝ કરવામાં આવ્યું ન હતું જેથી કરીને રમેશભાઈ ટપુભાઈ ભોરણીયાએ  તેઓના વકીલ મયુર પી. પુજારા મારફતે મોરબી જીલ્લા ગ્રાહક તકરાર કોર્ટમાં ફરીયાદ કરી હતી અને બેંક દ્વારા એવો વાંધો લેવામાં આવ્યો હતો કે રમેશભાઈ ગંગોત્રી ગ્લેઝમાં જામીન તરીકે હોય તેઓની પ્રોપર્ટી મુકત કરી શકાય નહી.  જે કેસમાં રમેશભાઈ ભોરણીયાના વકીલની દલીલ તથા રજુ કરેલ પુરાવા ધ્યાને રાખીને ગ્રાહક સુરક્ષા આયોગ દ્વારા જે મીલ્કત મોર્ગેજ કરેલ હતી. તે મીલ્કત પરની લોન ભરપાઈ થઈ જવા છતા મિલ્કત રીલીઝ ન કરવી તે ગ્રાહકનું શોષણ કરવા સમાન છે અને અયોગ્ય વેપાર નીતી કહેવાય જેથી તેને અટકાવવી જોઈએ. જેથી મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નીવારણ કમિશને રાજકોટ નાગરીક બેંકને વ્રજ સિરામિક પ્રા.લી દ્વારા લેવાયેલ લોનના કામે જામીન તરીકે રમેશભાઈ ટપુભાઈ ભોરણીયાનું મોર્ગેજ કરેલ મકાન મોર્ગેજમાંથી મુક્ત કરવા માટે હુકમ કર્યો છે અને મુકત કર્યાનું લખાણ રમેશભાઈ ટપુભાઈ ભોરણીયાને હુકમના ૪૫ દિવસમાં આપવા આદેશ કરેલ છે આ કેસમાં ફરીયાદી રમેશભાઈ ભોરણીયા તરફે વકીલ મયુર પી. પુજારા રોકાયેલ હતા






Latest News