મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ રાજકોટ નાગરીક બેંકને લોન માટે મોર્ગેજ કરેલ મકાન મુક્ત કરવા આદેશ


SHARE







મોરબીમાં આવેલ રાજકોટ નાગરીક બેંકને લોન માટે મોર્ગેજ કરેલ મકાન મુક્ત કરવા આદેશ

રાજકોટ નાગરીક બેંક લી. મોરબી શાખામાંથી લોન લીધેલ હતી. જે લોનની રકમ ભરપાઈ કરવા છતા તેમાં મોર્ગેજ કરેલ રમેશભાઈ ટપુભાઈ ભોરણીયાનું રાજકોટ સ્થિત મકાન રીલીઝ કરવામાં આવ્યું ન હતું જેથી કરીને મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નીવારણ કમિશનમાં કેસ કરવામાં આવેલ હતો જેમાં ફરિયાદીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને મોર્ગેજ કરેલ મકાન મુક્ત કરવા રાજકોટ નાગરિક બેંકને આદેશ કરેલ છે

મોરબીના વ્રજ સિરામિક પ્રા.લી. દ્વારા રાજકોટ નાગરીક બેંક લી. મોરબી શાખામાંથી લોન લીધેલ હતી. જે લોનની રકમ ભરપાઈ કરવા છતા તેમાં મોર્ગેજ કરેલ રમેશભાઈ ટપુભાઈ ભોરણીયાનું રાજકોટ સ્થિત મકાન રીલીઝ કરવામાં આવ્યું ન હતું જેથી કરીને રમેશભાઈ ટપુભાઈ ભોરણીયાએ  તેઓના વકીલ મયુર પી. પુજારા મારફતે મોરબી જીલ્લા ગ્રાહક તકરાર કોર્ટમાં ફરીયાદ કરી હતી અને બેંક દ્વારા એવો વાંધો લેવામાં આવ્યો હતો કે રમેશભાઈ ગંગોત્રી ગ્લેઝમાં જામીન તરીકે હોય તેઓની પ્રોપર્ટી મુકત કરી શકાય નહી.  જે કેસમાં રમેશભાઈ ભોરણીયાના વકીલની દલીલ તથા રજુ કરેલ પુરાવા ધ્યાને રાખીને ગ્રાહક સુરક્ષા આયોગ દ્વારા જે મીલ્કત મોર્ગેજ કરેલ હતી. તે મીલ્કત પરની લોન ભરપાઈ થઈ જવા છતા મિલ્કત રીલીઝ ન કરવી તે ગ્રાહકનું શોષણ કરવા સમાન છે અને અયોગ્ય વેપાર નીતી કહેવાય જેથી તેને અટકાવવી જોઈએ. જેથી મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નીવારણ કમિશને રાજકોટ નાગરીક બેંકને વ્રજ સિરામિક પ્રા.લી દ્વારા લેવાયેલ લોનના કામે જામીન તરીકે રમેશભાઈ ટપુભાઈ ભોરણીયાનું મોર્ગેજ કરેલ મકાન મોર્ગેજમાંથી મુક્ત કરવા માટે હુકમ કર્યો છે અને મુકત કર્યાનું લખાણ રમેશભાઈ ટપુભાઈ ભોરણીયાને હુકમના ૪૫ દિવસમાં આપવા આદેશ કરેલ છે આ કેસમાં ફરીયાદી રમેશભાઈ ભોરણીયા તરફે વકીલ મયુર પી. પુજારા રોકાયેલ હતા






Latest News