મોરબીના જાંબુડિયા પાસેથી માસ ભરેલ રિક્ષા ગૌરક્ષકોએ ઝડપી
SHARE
મોરબીના જાંબુડિયા પાસેથી માસ ભરેલ રિક્ષા ગૌરક્ષકોએ ઝડપી
મોરબીથી વાંકાનેર હાઇવે ઉપર જઈ રહેલ પિયાગો રીક્ષાને દરિયાલાલ હોટલની બાજુમાં રોડ ઉપર રોકવામાં આવી હતી ત્યારે તે રિક્ષામાંથી માસનો જથ્થો મળી આવ્યો હતો જેથી ગૌરક્ષકો દ્વારા અંગેની પોલીસને જાણ કરવામાં આવી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે
મોરબી હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના ગૌરક્ષક ભાઈઓને ચોટીલા હરેશભાઈ ચૌહાણ દ્વારા બાતમી મળી હતી કે મોરબીથી એક રિક્ષામાં ગૌમાસ ભરીને વાંકાનેર બાજુ જવાનું છે જેથી કરીને મોરબી હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના ગૌરક્ષકો દ્વારા વોચ રાખવામા આવી હતી અને મોરબી બાજુથી વાંકાનેર હાઇવે ઉપર જઈ રહેલ દરિયાલાલ હોટલની બાજુમાં પિયાગો રીક્ષા નંબર જીજે ૩૬ ડબલ્યુ ૦૭૧૫ રીક્ષા આવી હતી જેને રોકીને ચેક કરી હતી ત્યારે રીક્ષામાંથી મોટા પશુનું માસ મળી આવ્યું હતું અને અબોલ જીવની હત્યા કરીને માસને વાંકાનેરમાં વેચવા લઈ જતાં હતા જો યુપીમા અને અનેક રાજ્યોમાં ખુલ્લેઆમ વેચાતા માસ, મટન, ઈંડાની લારીઓ બંધ કરાવવામાં આવતી હોય તો ગુજરાતમાં કેમ નહીં ? અને કોની ભલામણથી તેમજ રેમ દ્રષ્ટિથી આ જીવ હત્યા કરવામાં આવી રહી છે તે પણ તપાસનો વિષય છે આ તકે કે.બી. બોરીચા, દિનેશભાઈ લોરીયા, ચેતનભાઇ ચંદ્રકાંતભાઈ પાટડીયા, જય કિશનભાઇ આહીર, જયદીપભાઇ ભલગામડીયા, પાર્થભાઈ નેસડિયા, હરેશભાઇ ચૌહાણ, રઘુભાઈ ભરવાડ, હિરેનભાઈ વ્યાસ, ગજેન્દ્રભાઈ બાબરા, ઘનશ્યામભાઈ ચારોલા હાજર રહ્યા હતા અને પોલીસ સ્ટાફનો સારો સહયોગ મળ્યો હતો









