મોરબીના ઘુંટુ રોડ તેમજ જુના બેલા(આ.) ગામેથી બે સગીરાઓના અપહરણ
મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલા જયસુખભાઇ પટેલની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી
SHARE
મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલા જયસુખભાઇ પટેલની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી
મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસે ૧૦ આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા જે પૈકીનાં જયસુખભાઇ પટેલ દ્વારા રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી જેની સુનાવણી અગાઉ થઈ ગયેલ હતી અને આજે હાઇકોર્ટ દ્વારા તેની જામીન અરજીને ફગાવવામાં આવી છે
મોરબીમાં ગત ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તેના લીધે ૧૩૫ લોકોમાં મોત થાય હતા જેથી કરીને મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીઓને પકડ્યા હતા અને તે પૈકીનાં કુલ મળીને ૬ આરોપીઓને અગાઉ હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા છે ત્યારે મોરબીની પુલ દુર્ઘટનામાં પકડાયેલ આરોપીમાંથી ઓરેવા ગ્રૂપના એમડી જયસુખભાઈ પટેલ દ્વારા રેગ્યુલર જામીન માટેની અરજી કરવામાં આવેલ હતી અને તેની સુનાવણી પણ અગાઉ થઈ ગઈ હતી ત્યાર બાદ આજે હાઇકોર્ટના જજ જામીન માટેની અરજીને ફગાવવાનો હુકમ કરવામાં આવેલ છે









