મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીની આર્યાવર્ત એજ્યુ. એકેડેમીમાં અંગદાન જાગૃતિ માટે સેમિનાર યોજાયો


SHARE









મોરબીની આર્યાવર્ત એજ્યુ. એકેડેમીમાં અંગદાન જાગૃતિ માટે સેમિનાર યોજાયો

કોઈપણ એક વ્યક્તિનું અંગદાન કરવામાં આવે એટ્લે એક કે બે નહીં પંરતુ સાત વ્યક્તિને નવજીવન મળી શકે છે જેથી કરીને છેલ્લા ઘણા વર્ષોથી લોકોમાં અંગદાનને લઈને જાગૃતિ આવે તેના માટે થઈને જુદીજુદી જગ્યાએ સેમિનાર કરવામાં આવે છે તેવામાં તેજતરમા મોરબી નજીક આવેલ આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી ખાતે અંગદાન જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિલીપદાદા દેશમુખ દ્વારા નર્સિંગ તેમજ હોમીયોપેથીના વિદ્યાર્થીઓને અંગદાન વિશે તેમજ શરીરના અંગોના મહત્વ વિષેની માહિત આપવામાં આવી હતી ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ અંગદાન કરે ત્યાર બાદ તેના પર સર્જરી કરીને તેના કોઈપણ અંગને કાઢીને જરૂરિયાતમંદ વ્યક્તિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની પ્રક્રિયાને અંગદાન કહેવામાં આવે છે. અને અંગદાન મૃત્યુ પામ્યા પછી નહીં પરંતુ જીવિત વ્યક્તિ જ કરી શકે છે અને જે વ્યક્તિનું બ્રેન ડેડ થઈ જાય છે તેના પરિવારજનની સંમતિ સાથે અંગદાન કરવામાં આવતું હોય છે વધુમાં જણાવ્યુ હતુ કે, જીવતી વ્યક્તિ શરીરનાં અમુક અંગ, જેમ કે કિડની, બોનમેરોનું દાન કરી શકે છે તેવી જ રીતે બ્રેઈનડેડ વ્યક્તિ કિડની, લિવર, ફેફસાં, સ્વાદુપિંડ, અંડાશય, આંખો, હાડકાં અને ત્વચાને દાન કરી શકે છે અને તે બીજા શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે આટલું જ નહીં જે વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ હોય તે વ્યક્તિ જ અંગદાન કરી શકે છે. કોઈપણ વ્યક્તિને એચ.આઈ.વી., કેન્સર, હાર્ટ અને ફેફસાંની બીમારી જેવી લાંબી બીમારી હોય તો તે અંગદાન કરી શકતા નથી






Latest News