મોરબીના રફાળેશ્વર ગામે રિસામણે બેઠેલ દીકરીને સાસરે જવાનું માતાએ કહેતા અનંતની વાટ પકડી
મોરબીમાં ગટરની સમસ્યા નહી ઉકેલાય તો પાલિકામાં ઠાલવશે ગટરની ગંદકી
SHARE
મોરબીમાં ગટરની સમસ્યા નહી ઉકેલાય તો પાલિકામાં ઠાલવશે ગટરની ગંદકી
મોરબીના જુદાજુદા વિસ્તારમાં ગટરની સમસ્યા વિકરાળ બનેલ છે ત્યારે સામાજિક કાર્યકરો દ્વારા પાલિકામાં લેખિત રજૂઆત કરવામાં આવી છે અને એવી ચીમકી ઉચ્ચારી છે કે, ગટરની સમસ્યા નહીં ઉકેલવામાં આવે તો પાલિકામાં ગટરની ગંદકી ઠાલવવામાં આવશે અને આ નગરપાલિકા સુપરસિડ થયા પછી કોઈ કાયમી ચીફ ઓફિસર મૂકવામાં આવેલ નથી જેથી કાયમી ચીફ ઓફિસર મૂકવાની પણ માંગ કરી છે
મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોકભાઈ ખરચરિયા, ચિરાગભાઈ સેતાએ મોરબી પાલિકા, ધારાસભ્ય અને મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર ૨૪ કલાક ગટરના પાણી વહે છે અને તંત્રની ઘોર ઉપેક્ષાના લીધે લોકોને હેરાન થવું પડે છે ત્યારે લોકોની હાલાકી દૂર કરવા માટે વહેલામાં વહેલી તકે ગટરની સમસ્યા ઉકેલવામાં આવે તેવી માંગ કરી છે તેમજ નગરપાલિકા સુપરસિડ થયા પછી કોઈ કાયમી ચીફ ઓફિસર મૂકવામાં આવેલ નથી જેથી કાયમી ચીફ ઓફિસર મૂકવાની પણ માંગ કરી છે વધુમાં જણાવ્યુ છે કે, શહેરના ઘણા બધા વિસ્તારો ગટરની સમસ્યા છે જો કે, કોઈ ધ્યાન આપતું જ નથી ત્યારે તંત્ર દ્વારા ગટરની સમસ્યા ઉકેલવામાં નહીં આવે તો ૧૫ દિવસ પછી ગટરની ગંદકી પાલિકામાં ઠાલવીને લોકોને થતી હાલાકીનો પાલિકાના અધિકારી અને કર્મચારીને પણ અહેસાસ કરાવવામાં આવશે