મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના દીઘડિયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલા રાજકોટ સારવારમાં


SHARE







હળવદના દીઘડિયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલા રાજકોટ સારવારમાં

હળવદ તાલુકાના દીઘડિયા ગામે વાડીએ રહેતી મહિલાએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને ત્યાં તે આઈસીયુમાં સારવાર હેઠળ છે જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા તાલુકાના પીપળી ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના દીઘડીયા ગામે ટીંબા ભગવાનની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કૈલાશબેન વિજયભાઈ બામણીયા (૧૯) નામની પરણીતા વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને ત્યાં તે મહિલા આઈસીયુ વિભાગમાં સારવાર હેઠળ હોય આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે જોકે પરણીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં હવે પોલીસ દ્વારા આગળની તપાસતા જ કરવામાં આવશે

માતા-પુત્ર સારવારમાં

મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાછળના ભાગે આવેલ મફતપરા વિસ્તારમાં રહેતા જયશ્રીબેન ગૌતમભાઈ વાણીયા (ઉમર ૩૬) તથા અજય ગૌતમભાઈ વાણીયા (ઉમર ૧૩) ને ઘરે મારામારીના બનાવમાં ઈજાઓ થતા સારવાર માટે સરકારી હોસ્પિટલએ લવાયા હતા અને ત્યાંથી પોલીસને જાણ કરાતા હાલ સીટી બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગરએ બનાવનૈ કારણ બાબતે આગળની તપાસ શરૂ કરી છે.

બાળક સારવારમાં
મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ સામેના ભાગે આવેલ વિદ્યુતનગરના ઢાળ પાસે રિક્ષામાં રમતા સમયે નીચે પડી જતા ઇજા પામેલ હાજી ઈકબાલભાઈ મોવર (ઉમર ૮) રહે.અંજીયાસર તાલુકો માળીયા મીંયાણા નામના બાળકને અત્રેની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બનાવ અંગે હોસ્પિટલ ખાતેથી બી ડિવિઝન પોલીસમાં જાણ કરાતા સ્ટાફના રાજેશભાઈ ડાંગર દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના વાવડી ચોકડી પાસે રહેતા પરિવારની ભૂમિકાબેન નિલેશભાઈ કંજારીયા નામની ૧૩ વર્ષની બાળકીને વાવડી ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ તથા તેણીને પણ સારવાર માટે દવાખાને લાવવામાં આવી હતી.

બાઈક સાથે બાઈક ટકરાતા સારવારમાં
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલી પ્રમુખ સ્વામી સોસાયટીમાં રહેતા નિલેશભાઈ ચતુરભાઈ બારૈયા નામના ૨૮ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતાં અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને પોલીસ તપાસમાં ખુલ્યુ હતુ કે નિલેશભાઈ બારૈયા વાવડી ચોકડી તરફ જતા રસ્તેથી બાઈક લઈને જતા હતા ત્યાં રસ્તામાં પંચાસર રોડ ઉપર સ્મશાન નજીક તેમના બાઇક સાથે અન્ય બાઇક અથડાવાનો અકસ્માત બનાવ બન્યો હતો જેમાં તેઓને ઈજા થતાં દવાખાને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News