મોરબી જીલ્લામાં વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયાની અપીલ
SHARE
મોરબી જીલ્લામાં વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયાની અપીલ
વિશ્વકર્મા યોજના થકી કારીગરોને સરકાર તરફથી ઘણો ફાયદો થવાનો છે અને ભવિષ્યમાં તેઓને તાલીમ અને લોન સહિતની સુવિધા સરકારે કરી છે ત્યારે મોરબી જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયાએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાનો વધુમાં વધુ મોરબી જિલ્લાના લોકોને લાભ લેવા માટે અપીલ કરી છે.
મોરબી જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયાએ માહિતી આપતા જણાવ્યુ છે કે, પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજના થકી દરજી, વાળંદ(નાઇ), કુંભાર, કડિયા, લુહાર, સુથાર, મોચી વગેરે સમાજના કારીગરોના સશક્તિકરણને પ્રોત્સાહન મળશે. તેમના વેપારમાં વૃદ્ધિની શૃંખલાને આગળ વધારવા અને સક્ષમ બનાવવા માટે શરૂઆતથી માંડી અંત સુધી સર્વગ્રાહી સહાય પ્રધાન થશે. જેથી તેમની સામાજિક, આર્થિક સ્થિત તેમજ તેમના જીવનની ગુણવત્તામાં સુધારો થશે. આ યોજનમાં પાત્રતા ચકાસ્યા બાદ તબક્કાવાર આ યોજના અંતર્ગત લાભાર્થીઓને લોન મળે માટે તેવું આયોજન કરવામાં આવ્યું છે જેથી હાલમાં મોરબી જિલ્લામાં રજિસ્ટ્રેશનનું કામ ચાલુ છે તેમજ કોમન સર્વિસ સેન્ટર (CSC ) માંથી કારીગરો રજિસ્ટ્રેશન કરાવી સરકારની યોજનાનો લાભ મેળવે તેવી અપીલ કરી છે.