માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા  આગામી ૨૬ ડિસેમ્બરે યોજાશે


SHARE













મોરબી જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા  આગામી ૨૬ ડિસેમ્બરે યોજાશે

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલીત જિલ્લા કક્ષા સૂર્ય નમસ્કાર સ્પર્ધા આગામી તા.૨૬/૧૨ ના રોજ સવારે ૮.૦૦ કલાકથી નવજીવન વિદ્યાલય, સજનપર ધુનડા રોડ, મોરબી ખાતે યોજાશે.

આ સ્પર્ધામાં તાલુકા/નગરપાલીકા કક્ષાના પ્રથમ વિજેતા સ્પર્ધક ભાગ લઈ શકશે માટે તાલુકા/નગરપાલીકામાં પ્રથમ આવેલ તમામ સ્પર્ધકોએ તા.૨૬/૧૨/૨૦૨૩ના રોજ સવારે ૮.૦૦ કલાકે નવજીવન વિદ્યાલય, સજનપર ધુનડા રોડ, મોરબી ખાતે રીપોર્ટીંગ કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે

બાગાયતી યોજના વિષયક સેમીનાર યોજાયો

બાગાયતી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે રાજ્યભરમાં ખેડૂત શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના લક્ષ્મીનગર અને ટંકારા તાલુકાના વિરવાવ ગામે ખેડૂતોને બાગાયતી યોજનાઓથી માહિતગાર કરવા ખેડૂત શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેડૂત શિબિરમાં મુખ્યત્વે બાગાયત ખાતાના અધિકારીઓ અને આત્માના કર્મચારીશ્રીઓ દ્વારા વિવિધ બાગાયતલક્ષી યોજનાઓની માહિતી આપી તેનો વધુને વધુ લાભ ખેડૂતો કઇ રીતે લઈ શકે તે અંગે ખેડૂતોને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત બાગાયત ખાતાની નવી બાબત, પ્રાકૃતિક ખેતી તેમજ પાક વ્યવસ્થાપન, રોગ નિયમન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યકમમાં ખેડૂતોએ ઉત્સાહથી ભાગ લઈને વિવિધ યોજના અને તેના લાભ વિશે માહિતી મેળવી હતી.






Latest News