મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાં વીજતંત્રએ ૧૮૪.૮૨ લાખની વીજ ચોરી ઝડપાઇ
મોરબીની ગીતાંજલી વિદ્યાલય-વાંકાનેરના ભીમગુડા ગામની શાળામાં ગીતા જયંતિ ઉજવાઇ
SHARE
મોરબીની ગીતાંજલી વિદ્યાલય-વાંકાનેરના ભીમગુડા ગામની શાળામાં ગીતા જયંતિ ઉજવાઇ
વાંકાનેરના ભીમગુડા પ્રાથમિક શાળામાં એક અનોખી પહેલ કરવામાં આવી હતી અને ગીતા જયંતિ નિમિતે શાળાના આચાર્ય રાકેશભાઇ રાઠોડ દ્રારા કાર્યક્રમ યોજાયો હતો જેની માહિતી આપતા આચાર્યએ જણાવ્યુ હતું કે, શાળામાં અભ્યાસ કરતા બાળકોએ શિક્ષણમાં પ્રગતિ કરી છે એવા ૨૦ બાળકોને શ્રીમદ ભાગવત ગીતા શાળાના સંસ્કૃતવિદ શિક્ષક પ્રફુલકુમાર હરિયાણીના સૌજન્યથી ધર્મ અને કર્મથી જ્ઞાત થાય તે હેતુસર આપીને બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતુ. તેમજ ગીતાંજલી વિદ્યાલય-મોરબી ખાતે ગીતા જયંતિ નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી.જેમાં ૧૦૮ ભગવદગીતાનું ૧૦૮ દિવડાઓ પ્રગટાવી પુજન કરવામાં આવ્યું હતું આ વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા ગીતાના શ્લોકનું ગાન કરવામાં આવ્યુ હયું તેમજ આ દિવસનું અને ગીતાનું આપણી જીવનશૈલીમાં શું મહત્વ છે તે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતુ.









