મોરબી ન્યૂએરા ગ્લોબલ સ્કૂલમાં બે દિવાસીય એન્યુઅલ ફંક્શનનું આયોજન
મોરબીની ગીતાંજલી વિદ્યાલય ખાતે બાળમેળો-લાઈફસ્કીલ મેળો યોજાયો
SHARE
મોરબીની ગીતાંજલી વિદ્યાલય ખાતે બાળમેળો-લાઈફસ્કીલ મેળો યોજાયો
આધુનિક યુગમાં શિક્ષણના નુતન પ્રવાહો તેમજ ટેકનોલૉજીના યુગમાં લાઇફ સકીલ ડેવલોપ્મેન્ટની નૂતન સંકલ્પનાને સાકાર કરવા મોરબીમાં ગીતાંજલી વિદ્યાલયના ટ્રસ્ટી રૂપલબેન પનારા, આચાર્ય ઉભડીયા હર્ષદભાઇ તથા કંઝારીયા ધર્મેશભાઇ તેમજ સ્ટાફ મીત્રો દ્વારા બાળમેળો-લાઈફસ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, વર્ગખંડમાં બાળક ઘણું બધુ શીખે છે, પરંતુ બાળમેળા દ્વારા બાળક પોતાની શક્તિઓને બહાર લાવી કંઇક નવું કરવાનો, બનાવવાનો આનંદ માણે છે. આ સાથે બાળકમાં “મેં કંઈક નવુ બનાવ્યું, શીખ્યું” તેનો આનંદ તેને જે મળે છે તે તેના જીવનભરની યાદ બની રહે છે. બાળકોના સર્વાંગી વિકાસ તેમજ તેના જીવન ઘડતર માટે ‘બાળમેળો’ એ પાયાના પગથિયા સમાન છે. ત્યારે ગીતાંજલી વિદ્યાલયમાં બાળમેળનુ આયોજન કરીને વિદ્યાર્થીઓને પોતાની કુશળતા વિકસાવવા અલગ અલગ ચીજવસ્તુ અને ખાણી-પીણીના સ્ટોલ બનાવી પોતાનામાં રહેલી આવડતને વેપાર-વાણિજય ક્ષેત્રે વિકસાવવાની તક પૂરી પડી હતી આ તકે વાલીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં શાળાની મુલાકાતે આવ્યા હતા.









