મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ખરેડા ગામે મંદિરે દર્શન કરીને પરત વાંકાનેર જતાં પિતા-પુત્રીને નડ્યો અકસ્માત: દિકરીનું મોત


SHARE







મોરબીના ખરેડા ગામે મંદિરે દર્શન કરીને પરત વાંકાનેર જતાં પિતા-પુત્રીને નડ્યો અકસ્માત: દિકરીનું મોત

વાંકાનેરની ભાટિયા સોસાયટી ત્રિલોકધામ પાસે જલારામ નગરમાં રહેતો અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો યુવાન તેની દીકરી સાથે મોરબી નજીકના ખરેડા ગામે આવેલ માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી તે પરત જઈ રહ્યા હતા ત્યારે ત્યારે મોરબીના નીચી માંડલ ગામ પાસે તેના ડબલ સવારી બાઇકને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટ લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને ઇજા થઈ હતી અને તેની ૮ વર્ષની દીકરીને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવની હાલમાં મૃતક બાળકીના પિતા દ્વારા ટ્રક ટ્રેલરના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટી ત્રિલોકધામ પાસે જલારામનગરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હસમુખભાઈ કાંતિલાલ કાથરાણી જાતે લોહાણા (૪૮) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટ્રેલર નંબર એમએચ ૪૦ સીડી ૯૮૯૨ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તે પોતાની આઠ વર્ષની દીકરી ધ્યાની હસમુખભાઈ કાથરાણીને પોતાના બાઇક નંબર જીજે ૩૬ એચ ૯૭૫૮ ઉપર બેસાડીને મોરબી નજીકના ખરેડા ગામે પૂનમ હોવાથી અંબે માતાજીના મંદિરે દર્શન કરવા માટે થઈને આવ્યા હતા અને ત્યાં દર્શન કરીને તે લોકો પરત વાંકાનેર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં નીચી માંડલ ગામ પાસે આવેલ શિવ પેટ્રોલ પંપ નજીકની સામેના ભાગમાં ટ્રક ટ્રેલરના ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદી યુવાનને ઇજાઓ થઈ હતી અને તેની ૮ વર્ષની દીકરીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને આરોપી તેના હવાલા વાળું ટ્રક ટ્રેલર સ્થળ ઉપરથી લઈને નાશી ગયો હતો જેથી નાસી ગયેલ વાહન ચાલકની સામે ભોગ બનેલ બાળકીના પિતા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News