મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીની પંચાસર ચોકડીએ બાઈકમાંથી નીચે પડતાં ઇજા પામેલા વૃદ્ધાનું મોત


SHARE















મોરબીની પંચાસર ચોકડીએ બાઈકમાંથી નીચે પડતાં ઇજા પામેલા વૃદ્ધાનું મોત

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને આમરણ તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં પંચાસર ચોકડી પાસે કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેઓને ઈજા થયેલ હોવાથી તેઓને પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા ડાહીબેન રતિલાલ પરમાર (૭૫) નામના વૃદ્ધા ગઈકાલે સવારે ૯:૩૦ વાગ્યાના અરસામાં દીપકભાઈના બાઈકમાં પાછળના ભાગે બેસીને મોરબીથી આમરણ તરફ જઈ રહ્યા હતા ત્યારે મોરબીની પંચાસર ચોકડી પાસે તે કોઈ કારણોસર અકસ્માતે બાઈકમાંથી નીચે પટકાયા હતા જેથી કરીને આ બનાવમાં ડાહીબેન પરમારને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવ્યા હતા જોકે રાજકોટ ખાતે સારવાર દરમ્યાન વૃદ્ધાનું મોત નીપજયું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.






Latest News