મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની પંચાસર ચોકડીએ બાઈકમાંથી નીચે પડતાં ઇજા પામેલા વૃદ્ધાનું મોત


SHARE







મોરબીની પંચાસર ચોકડીએ બાઈકમાંથી નીચે પડતાં ઇજા પામેલા વૃદ્ધાનું મોત

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને આમરણ તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં પંચાસર ચોકડી પાસે કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેઓને ઈજા થયેલ હોવાથી તેઓને પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા ડાહીબેન રતિલાલ પરમાર (૭૫) નામના વૃદ્ધા ગઈકાલે સવારે ૯:૩૦ વાગ્યાના અરસામાં દીપકભાઈના બાઈકમાં પાછળના ભાગે બેસીને મોરબીથી આમરણ તરફ જઈ રહ્યા હતા ત્યારે મોરબીની પંચાસર ચોકડી પાસે તે કોઈ કારણોસર અકસ્માતે બાઈકમાંથી નીચે પટકાયા હતા જેથી કરીને આ બનાવમાં ડાહીબેન પરમારને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવ્યા હતા જોકે રાજકોટ ખાતે સારવાર દરમ્યાન વૃદ્ધાનું મોત નીપજયું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.






Latest News