મોરબી જીલ્લા ભાજપ દ્વારા વિર બાલ દિવસ નીમીતે નવયુગ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબી જીલ્લા ભાજપ દ્વારા વિર બાલ દિવસ નીમીતે નવયુગ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો
મોરબી જીલ્લા ભાજપ દ્વારા વિર બાલ દિવસ નીમીતે નવયુગ સંકુલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં શીખોના ૧૦ માં ગુરૂ ગોવિંદસિંહજીના પુત્રોની શહાદતની યાદમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમા શીખોના પરાક્રમ અને શોર્યથી સૌ બાળકોને માહિતગાર કર્યા હતા.આ તકે મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી કે.એસ.અમૃતિયા અને જેઠાભાઇભાઈ મિયાત્રા, મોરબી જીલ્લા ભાજપના મંત્રી નીરજભાઈ ભટ્ટ, મોરબી તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા, ટંકારા તાલુકા પ્રમુખ કિરીટભાઈ અંદરપા, માળીયા તાલુકા પ્રમુખ મણિલાલ સરડવા, હળવદ તાલુકા પ્રમુખ મનસુખભાઇ ગોરીયા, વિરપરના સરપંચ મહેશભાઈ, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ વસંતભાઈ માંડવીયા સહિત જીલ્લાના અનેક મોરચાના હોદેદારો, આગેવાનો અને કાર્યકર્તા સહિતનાઓએ હાજરી આપી સંસ્કૃતિને બચવવા માટે આપેલા બલિદાનની વાતથી સૌ અવગત થયા હતા.વીર બાલ દિવસે નવયુગ સંકુલના પી.ડી.કાંજીયા અને સ્ટાફ દ્વારા બાળકોને ડોકયુંમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી.