મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાં બે જુદાજુદા સ્થળોએ ફીનાઇલ અને ઝેરી દવા પી ગયેલા બે યુવાનોને સારવારમાં ખસેડાયા


SHARE









મોરબીમાં બે જુદાજુદા સ્થળોએ ફીનાઇલ અને ઝેરી દવા પી ગયેલા બે યુવાનોને સારવારમાં ખસેડાયા

મોરબીના બે જુદાજુદા વિસ્તારોમાં રહેતા યુવાનો ફિનાઈલ તેમજ ઝેરી દવા પી ગયા હોય હાલ બંનેને સારવારમાં ખસેડાયા છે અને બનાવના કારણ અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના સામાકાંઠે વૃદ્ધાશ્રમની નજીક જુની કુબેર ટોકીઝની પાછળના વિસ્તારમાં રહેતા રાજેશભાઈ નાનજીભાઈ સોલંકી (ઉમર ૩૧) નામના યુવાને તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ બી ડિવિઝનમાં જાણ કરાયેલી હોય બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા બનાવના કારણ અંગે તપાસ ચલાવી રહ્યા છે. તે રીતે જ મોરબી તાલિકાના નવા સાદુળકા ગામે રહેતો અમિત કૈલાશભાઈ ઝિંઝુવાડીયા નામનો ૧૮ વર્ષનો યુવાન તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર કોઈ ઝેરી દવા પી ગયો હતો જેથી હાલ તેને અત્રની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો છે અને કયા કારણોસર અમિત ઝીંઝુવાડીયાએ ઉપરોક્ત પગલું ભર્યું..? તે દિશામાં હવે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે.

માતા-પુત્ર સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બાગબાન ફાર્મ નજીકથી એકટીવામાં જઈ રહેલ માતા-પુત્રને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા બંનેને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે રહેતા અન્નપૂર્ણાબેન પારસભાઈ ઓખરીયા (ઉંમર 31) અને સમર્થ પારસભાઈ ઓખરીયા (ઉંમર 4) એકટીવામાં જતા હતા તે સમયે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા બાગબાન ફાર્મ પાસે વાહન અકસ્માતનો બનાવો બન્યો હતો જેમાં એકટીવા સ્લીપ થઈ જતા ઈજા થઈ હતી જેથી બંનેને સારવારમાં ખસેડાયા હતા હાલ તાલુકા પોલીસ મથકના એમ.એલ. બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

બીમારી સબબ મોત

મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસે આવેલ નીલકંઠ પોલી સીરામીક નામના યુનિટના લેબર ક્વાટરમાં રહીને મજૂરી કામ કરતા શંકરલાલ સેતાલાલ લુહાર (ઉમર ૩૨) નામના યુવાનને બેભાન હાલતમાં સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને અહીં ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કર્યા હતા અને પોલીસના જણાવ્યા પ્રમાણે બીમારી સબબ તેઓનું મોત નીપજેલ છે.તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ આ બાબતે વધુ તપાસ ચલાવી રહ્યા છે.






Latest News