મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ફોરલેનની કામગીરીમાં નડતરરૂપ ૧૦ ગેરકાયદેસર દુકાનો સહિતના દબાણો ઉપર બુલ્ડોઝર ફરી ગયુ


SHARE







મોરબીના જેતપર ગામે ફોરલેનની કામગીરીમાં નડતરરૂપ ૧૦ ગેરકાયદેસર દુકાનો સહિતના દબાણો ઉપર બુલ્ડોઝર ફરી ગયુ

મોરબીની મહેન્દ્રનગર ચોકડી થી અણીયાળી ચોકડી સુધી ફોરલેન રસ્તો બનાવવા માટેની કામગીરી હાલમાં ચાલી રહી છે દરમિયાન જેતપર ગામમાંથી જે રસ્તો પસાર થવાનો છે ત્યાં ગેરકાયદેસર દુકાનો સહિતના દબાણો હતા જેના કારણે કામગીરી અટકી હતી અને આજરોજ મોરબી જિલ્લા પંચાયતના ડીડીઓની સૂચના મુજબ તાલુકા પંચાયતના અધિકારી અને કર્મચારી દ્વારા પીજીવીસીએલ અને પોલીસની ટીમોને સાથે રાખીને દસ જેટલી ગેરકાયદેસર દુકાનો સહિતના તમામ દબાણ ઉપર સરકારી બુલ્ડોઝર ફેરવીને ૫૦ હજાર ફૂટ જેટલી જગ્યા દબાણ મુક્ત કરવામાં આવેલ છે

મોરબીના જેતપુરથી અણીયારી સુધીના રસ્તો રાજ્ય માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો ૩૨૧ નંબરનો રાજ્ય ધોરી માર્ગ છે. જેમાં મહેંદ્રનગર ચોકડીથી અણીયારી જેતપર ઘોડાધ્રોઈ નદીના બ્રિજ સુધી ફોરલેન તેમજ જેતપર ઘોડાધ્રોઈ નદીના બ્રિજથી ગામતળમાંથી પસાર થઈ લંબાઈમાં રીસરફેસિંગ કરવાની કામગીરી અને ત્યારબાદની લંબાઈમાં અણીયારી ચોકડી સુધીમા ૧૦.૦૦ મી પહોળો રોડ કરવાની કામગીરીનો સમાવેશ થાય છે. જેતપર ગામતળમાં માર્ગ મકાન વિભાગ રાજ્ય હસ્તકની જગ્યા ઉપ્લબ્ધ ન હોવાથી હયાત રસ્તાના ગામતળમાંથી પસાર થઈ લંબાઈમાં ફક્ત રીસરફેસિંગની જ કામગીરી હાલના કામમાં સમાવેશ કરવામાં આવેલ છે જે કામગીરી દુકાનદારો દ્વારા કરેલા દબાણને કારણે અટકેલી હતી. જે દબાણ હટાવવા દુકાનદારોને ગ્રામ પંચાયત દ્વારા બે વખત નોટિસ આપવા છતા દુકાનદારોએ સ્વેચ્છાએ દબાણ દુર કરેલ ન હતુ. જે દબાણ તા. ૨૮/૧૨/૨૦૨૩ ના રોજ જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજય સિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત કચેરી મોરબી તેમજ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન (સ્ટેટ)ની સંયુક્ત ટીમ દ્વારા PGVCL ના કર્મચારીઓની હાજરીમા પોલીસ પ્રોટેક્શન સાથે દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે કાર્યવાહીમાંલતાલુકા વિકાસ અધિકારી પી.એસ. ડાંગર, ઇ.ચા. કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન (સ્ટેટ)- એચ.એ. આદ્રોજા, સમાજ કલ્યાણ અધિકારી અતુલ છાછીયા, નાયબ કાર્ય પાલક ઇજનેર (સ્ટેટ) ચંદ્રાલા. એ.ટી.ડી.ઓ. વી.એમ જિવાણી, વિસ્તરણ અધિકારી પંચાયત કલ્પેશ બારેજીયા, તા.૫.મોરબી દબાણ ક્લાર્ક શ્રી ધર્મેન્દ્ર દેત્રોજા અને PGVCL તથા પોલીસ સ્ટાફ હાજર રહેલ અને કાર્યવાહીમાં ૧૦ જેટલી દુકાનો તથા શાક માર્કેટ અને વિવિધ દબાણકારો દ્વારા ઓટા બનાવી કે અન્ય રીતે કરેલ અંદાજીત ૫૦,૦૦૦ ચો.ફુટ જેટલુ દબાણ દુર કરવામાં આવેલ છે.






Latest News