મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં ફાયર સ્ટેશન બનાવવા સરકારી જમીન ખુલ્લી કરાવવા તજવીજ: સ્થાનિકોએ મકાન ફાળવવા કરી માંગ


SHARE









મોરબીમાં ફાયર સ્ટેશન બનાવવા સરકારી જમીન ખુલ્લી કરાવવા તજવીજ: સ્થાનિકોએ મકાન ફાળવવા કરી માંગ

મોરબીના મહેન્દ્રનગર ગામના સરકારી ખરાબામાં દબાણ કરવામાં આવ્યું છે તે દબાણને દૂર કરીને ત્યાં ફાય સ્ટેશન બનાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ત્યાં દબાણ કરનારાઓને નોટિસ આપવામાં આવી છે ત્યારે સ્થાનિક લોકોએ તેઓ ત્યાં વર્ષોથી રહે છે તેના પુરાવા સાથે કલેકટરને આવેદનપત્ર આપીને તેઓને સરકારના નિયમ મુજબ મકાન ફાળવવા માટેની માંગ કરી છે

મોરબીના વોર્ડ નં-૨ માં આવતા ભારતનગર મફતિયાપરા કે વિસ્તાર મોરબીના સર્કીટ હાઉસ સામે આવેલ છે ત્યાં સરકારી ખરાબાની જમીન ઉપર છેલ્લા ઘણા વર્ષોથી અનેક પરિવાર રહે છે તેઓને હાલમાં તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે ત્યારે સ્થાનિક લોકોએ આ મુદે કલેકટરને આવેદનપત્ર આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, ૩૦ જેટલા પરિવારો વર્ષોથી ત્યાં રહે છે અને તે વિસ્તાર પહેલા જુના મહેન્દ્રનગરની હદમાં આવતો હતો જો કે, હવે તે મોરબી પાલિકાની હદમાં આવે છે ત્યારે પાલિકાએ ફાયર સ્ટેશન બનાવવા માટે સરકારી ખરાબાના રેવન્યુ સર્વે નં ૧૫૬૧/૧ ની જમીન ૮૦૦૦ ચોરસ મીટર જગ્યા માંગી છે જેથી કરીને ત્યાં રહેતા લોકોને દબાણ હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે અહિયાં મોટાભાગે બક્ષીપંચ, ચુંવાળીયા કોળી અને અન્ય સમાજના લોકો રહે છે ત્યારે તેઓના મકાન તોડી નાખવામાં આવે તો તે બેઘર બની જશે જેથી કરીને તેઓની પાસે મકાનના વેરા, લાઈટ બીલ અને રેશનકાર્ડ જેવા આધાર પુરાવા છે તે રજૂ કરીને આ પરિવારોને સરકારની કોઈ પણ યોજના હેઠળ મકાન આપવામાં આવે તેવી માંગ કરી છે 






Latest News