ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા પ્રબુદ્ધ વર્ગની ચિંતન ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા પ્રબુદ્ધ વર્ગની ચિંતન ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો

મોરબીના સનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પ્રબુદ્ધ વર્ગની ચિંતન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય હરદ્વારના ઉપકુલપતિ ડો. ચિન્મય પંડ્યા દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત યુગ નિર્માણ યોજના અંતર્ગત મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મોરબીના સનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે પ્રબુદ્ધ વર્ગની ચિંતન ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ અને વૈશ્વિક ચેતનના વિકાસ-વિસ્તાર તેમજ ભારતીય સંસ્કૃતિની પુનઃસ્થાપનાના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી આ તકે યુવાનોના પ્રેરણાસ્ત્રોત અને પ્રબુદ્ધ પ્રવક્તા એવા દેવ સંસ્કૃત વિશ્વવિદ્યાલય હરદ્વારના ઉપકુલપતિ ડો. ચિન્મય પંડ્યા દ્વારા ચિંતન મહાયજ્ઞમાં આવેલા તમામ શ્રોતાઓને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે બહોળી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર તથા શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કાર્યરત ગાયત્રી ચેતના કેન્દ્રના તમામ સ્વયંસેવકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News