મોરબીના બંધુનગર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં યુવાનનું મોત
મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા પ્રબુદ્ધ વર્ગની ચિંતન ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા પ્રબુદ્ધ વર્ગની ચિંતન ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો
મોરબીના સનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પ્રબુદ્ધ વર્ગની ચિંતન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય હરદ્વારના ઉપકુલપતિ ડો. ચિન્મય પંડ્યા દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત યુગ નિર્માણ યોજના અંતર્ગત મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મોરબીના સનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે પ્રબુદ્ધ વર્ગની ચિંતન ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ અને વૈશ્વિક ચેતનના વિકાસ-વિસ્તાર તેમજ ભારતીય સંસ્કૃતિની પુનઃસ્થાપનાના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી આ તકે યુવાનોના પ્રેરણાસ્ત્રોત અને પ્રબુદ્ધ પ્રવક્તા એવા દેવ સંસ્કૃત વિશ્વવિદ્યાલય હરદ્વારના ઉપકુલપતિ ડો. ચિન્મય પંડ્યા દ્વારા ચિંતન મહાયજ્ઞમાં આવેલા તમામ શ્રોતાઓને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે બહોળી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર તથા શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કાર્યરત ગાયત્રી ચેતના કેન્દ્રના તમામ સ્વયંસેવકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી